SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું : ક્ષપકોણી જૈનના તત્વજ્ઞાનમાં અનેક પારિભાષિક શબ્દો છે, તેમને આ ક્ષેપક શ્રેણી અથવા ક્ષપકશ્રેણિ શબ્દ એક પારિભાષિક શબ્દ છે. બે પ્રકારની શ્રેણિ પ્રાણી વડે મંડાય છેક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ. કેશ તપાસતાં જણાય છે કે શ્રેણિ અને શ્રેણી એ બન્ને સાચા શબ્દપ્રયોગ છે. બાકી સાતમાં ગુણસ્થાનથી લઈ આગળ જતા સર્વ ગુણસ્થાનમાં આત્માનાં પરિણામ એટલાં સ્થિર અને શુદ્ધ થઈ જાય છે કે જેથી એ ગુણસ્થાનમાં આયુષ્યને બંધ તે થતું જ નથી, પણ આત્મિક તત્ર ત્યાં બે રીતે ચાલે છે. કોઈ ક્ષપકશ્રેણી માંડે છે અને કેટલાક ઉપશમશ્રેણું માંડે છે. આ કાળ અને સામાન્ય કર્મસ્થિતિ પર આધાર રાખે છે. એક ભવમાં બે વખત અને આખા કાળચક્રમાં પ્રાણી વધારેમાં વધારે છ વખત ઉપશમશ્રેણ માંડે છે. ઉપશમશ્રેણી શી છે, કેવા પ્રકારની છે તે અહીં આપણે જોઈ જવા પ્રયત્ન કરીએ. એ તે આત્મિક દશા છે. અગ્નિ થયેલ હોય, તેના ઉપર રાખેડી વાળવામાં આવે તે અગ્નિ દેખાતું નથી, પણ અંદર ભારેભાર અગ્નિ છે. ઉપશમશ્રેણી માંડનારની દશા એવી છે. જે કર્મ ઉદયમાં આવે તે સર્વને તે ખલાસ કરી દે અને ઉદયમાં આવતાં કર્મોને ભેગવી લે અને બાકીનાં કર્મોને અંદર ભારેલા અગ્નિની જેમ બેસાડી દે તે ઉપશમશ્રેણી છે. તે એક જાતની આત્મિક દશા છે. જેને સુખ ભેગવવાનું ખૂબ બાકી રહી જાય તેવાં કર્મો હોય તે ચોથે ગુણસ્થાનકે આવી અનુત્તર વિમાનમાં દેવતા થાય છે અને ત્યાં ખૂબ મેટું આયુષ્ય ભેગવી તે સમયમાં સારાં કર્મોને ભેગવી લે છે. આ ઉપશમશ્રેણું છે. ક્ષપકશ્રેણી તે કર્મની કાપણી જ કરે છે અને પ્રાણુ આગળ પ્રગતિ કરતે જાય છે. ક્ષપકશ્રેણું આચરનાર તે સીધે આગળ પ્રગતિ કયે જાય છે, તે જરાએ પણ અટકતે નથી અને તેનામાં આત્મિક બળ ખૂબ કામ કરે છે. આપણી નજરે તે બન્ને શ્રેણીવાળા આત્માઓ મહાન છે, પૂજ્ય છે, પણ શાસ્ત્રકારની નજરે ક્ષપકશ્રેણિ વધારે સારી છે; ઉપશમશ્રેણી પણ ઉત્થાન બતાવે છે, પણ ક્ષપકશ્રેણિના પ્રમાણમાં તે નીચી શ્રેણું ગણાય છે. અગિયારમા ગુણસ્થાનકનું નામ “ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક છે. જેને કષાય ઉપશાંત થઈ ગયે છે, જેનામાં રાગ-માયા અને લેભ–સર્વથા ઉદયમાં ન Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy