SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શાકશ્રેણી - ૬૯ આવે અને જેને છમ (આવરાણુભૂત વાતિકર્મ) હજુ લાગેલ હોય તે જીવ ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ જીવ કહેવાય છે. વિશેષણ બે પ્રકારનાં હોય છે –સ્વરૂપ વિશેષણ અને વ્યાવર્તક વિશેષણ. એ વિશેષણને સ્વરૂપ વિશેષણ કહેવાય જે વિશેષણ ન રહે છતાં પણ શેષભાગથી ઈષ્ટ અર્થને બંધ થઈ જતો હોય, અર્થાત જે વિશેષણ પિતાના વિશેષ્યના સ્વરૂપમાત્રને જ જણાવે. વ્યાવક વિશેષણ એવા વિશેષણને કહેવાય કે જે વિશેષણના રહેવાથી જ ઈષ્ટ અર્થને ધ થઈ શકે, અર્થાત્ જે વિશેષણને અભાવ હોય તે ઈષ્ટ અર્થ સિવાય બીજા અર્થને બંધ થઈ જાય. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન એ પ્રકારના અગિયારમા ગુણસ્થાનકના નામમાં ઉપશાંતકષાય, વીતરાગ અને છમસ્થ એ ત્રણ વિશેષણ છે. તે પૈકી છદ્મસ્થ એ સ્વરૂપ વિશેષણ છે, કારણ કે એ વિશેષણ ન હોય તે પણ બાકીના ભાગથી એટલે ઉપશાંતકષાય અને વીતરાગત્વથી અગિયારમા ગુણસ્થાનકને ભાવ સ્પષ્ટ થઈ જાય છે અને જે અર્થ લાવવાનું છે તેનાથી બીજા અર્થને બંધ થતું નથી. તેટલા માટે “છમસ્થ એ વિશેષણ પિતાના વિશેષ્યના સ્વરૂપમાત્રને જ જણાવે છે. “ઉપશાંતકષાય” અને “વીતરાગ એ બનને વ્યાવર્તક વિશેષણ છે, કારણ કે એ બન્ને રહેવાથી જ ઈષ્ટ અર્થને બંધ થાય છે. અને એ ન હોય તે ઈષ્ટ સિવાય અન્ય અર્થને બંધ થાય છે, જેમ કે “ઉપક્ષાંતકાય એ વિશેષણ ન હોય અને વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક એટલું જ જે વિશેષણ હેય તે ઈષ્ટ અર્થ સિવાય ભરમા ગુણસ્થાનકને પણ બંધ થવા લાગે છે, કારણ કે બારમાં ગુણસ્થાનમાં પણ જીવને છમ (જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મ તથા વીતરાગત (ાગના ઉદયને અભાવ) હોય છે, પણ ઉપશાંતકષાય એ વિશેષણ ગ્રહણ કરવાથી બારમા ગુણસ્થાનકને બેય ન થઈ શકે, કારણ કે બારમે ગુણસ્થાનકે જીવને કયાય ઉપશાંત થતું નથી, પણ તે ક્ષીણ થઈ જાય છે. એ રીતે વીતરાગ” એ વિશેષણના અભાવમાં “ઉપશાંતકષાય છદ્મસ્થ ગુણસ્થાન” એટલું નામ હોય તે થે કે પાંચમું વગેરે ગુણસ્થાનકને પણ બંધ થવા લાગે છે, કારણ કે ચોથા, પાંચમા વગેરે ગુણસ્થાનેમાં જીવને અનંતાનુબંધી કષાય ઉપશાંત થઈ શકે છે, પણ વીતરાગ' વિશેષણ રહેવાથી ચોથ, પાંચમા વગેરે ગુણસ્થાનકેને બોધ થઈ શકતું નથી, કારણ કે એ ગુણસ્થાનકે વર્તતા જીવના રાગના (માયા તથા લેભના) ઉદયને સદૂભાવ હોય છે અને વીતરાગત્વને ત્યાં અસંભવ છે. અગિયારમે ગુણસ્થાનકે તે ઉપશમશ્રેણી કરનાર છવ જ જાય છે. એ અવશ્ય અગિયારમા ગુણસ્થાનકેથી પડે છે. ગુણસ્થાનકને સમય પૂરો ન થાય તે પહેલાં એ આયુષ્ય પૂર્ણ કરે છે અને તે અનુત્તર વિમાને દેવ તરીકે ઉત્પન થાય છે અને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે, કારણ કે એ સ્થાનકે ચેથા સિવાયનું ઉપરનું સુણસ્થાનક સંભવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy