SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ પ્રશમરતિ વિવેચન સહિત મૂલ્યવાન ચીને માટે કાંઈ રકમ ખરચવી પડતી નથી. તમે મોટા મહોત્સવ કરો કે અષ્ટોત્તરી સ્નાત્ર ભણવ કે ઉજમણું કરે તે જ આ મૂળગુણે પ્રાપ્ત થાય એવી વાત નથી, એ તે પ્રયાસસિદ્ધ વસ્તુ છે અને વગર મૂલ્ય મળે તેવી ચીજ છે. માટે બેટા મહોત્સવ પણ કરે અને જે બને તે કરે, તે કરવાને પ્રતિબંધ નથી, પણ ન થઈ શકે તે તેમાં ગભરાઈ ને જાઓ. આપણું આ જ્ઞાન, દર્શન, ચારિત્ર મૂલ્યથી ખરીદ કરી શકાતા નથી, બજારમાં મળતા નથી અને એના સદા ચાલતા નથી. એ તે આત્મિક વસ્તુ છે, પ્રયાસને આધીન છે. પણ તે બજારમાં મળતી કે ખરીદાય તેવી ચીજ નથી. એને બરાબર ઓળખીને એને માટે યોગ્ય પ્રયાસ કરે અને એની ખાતર બીજી નકામી પંચાત કે કડાકુટ મૂકી દે. અનંત કાળ ગયે, અનેકવાર તક મળી, પણ અજાણપણે તેને લાભ ન લેતાં તેને જવા દીધી છે. એવું આ વખતે ન થાય તેની સંભાળ રાખો. કપૂરચંદજી મહારાજે કહ્યું છે કે “વાર અનંતી ચૂકિયા ચેતન, ઈણ અવસર મત ચૂકે.” એ પ્રમાણે અનેકવાર આપણે ભૂલ્યા છીએ અને આપણે રખડપાટો ઊભે રહ્યો છે, પણ આ અવસરે તે ચૂકવા જેવું નથી. ફરી ફરીને આવી તક હાથમાં નહી આવે, માટે મળેલ તકને તમારું સાધ્ય સાધવામાં ઉપયોગ કરે અને જિંદગીને અપનાવે. જેઓ જિંદગીને ફેકી દે છે, તેને પછી પસ્તાવાને પાર રહેતું નથી, પણ તે વખતનું ડહાપણ નકામું છે, કારણ કે ગુમાવેલી તક ફરીવાર હાથમાં આવતી નથી અને હું ફલાણું હોત તે આવું કરત કે આવું ન કરત એ તે બધા નકામા ભામાં છે, અર્થ વગરના અપલાપ છે અને અક્કલની ગેરહાજરીનું પ્રદર્શન છે. માટે સમજી લે, ચેતી જાઓ અને મળેલ તકને લાભ લઈ જ્ઞાન દર્શન ચારિત્રને અપનાવે. એટલું કરશો એમાં તમને અપરંપાર લાભ છે અને આવો ભવ મજાની સાર્થક્તા છે. નહિ તે પાછા રખડપટ્ટી માટે તૈયાર રહે અને આંટા માર્યા કરો. તિ શ્રી ર્જન-જ્ઞાન-ત્રિ દ્વારા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy