SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું: પ્રશમ અહીં નવું પ્રકરણ શરૂ થાય છે, તેનું નામ છે પ્રશમ. એને વિચાર જ એટલે સુંદર છે કે એ શબ્દ પર વિચાર કરતાં શાંતિ–'ડક થઈ જાય છે અને મનના અનેક તરગો-ઉશ્કેરણીએ દૂર થઈ જાય છે. પ્રશમ એટલે મનની આધિ-વ્યાધિને નાશ અને ચૈતરફ શીતળતા અને શાંતિ. એવા પ્રશમવાળા શાંત પ્રાણી કેવા હાય, તેનાં લક્ષણા કેવાં હેાય તે સર્વને વિચાર આ પ્રકરણમાં થશે. આપણે આદર્શ તરીકે પ્રભુને રાખીએ. જિન અરિહંત તીર્થંકરને આદશ સ્થાને રાખીએ અને તેઓની મૂર્તિ જેવી પ્રશમરસમાં નિમગ્ન હોય તેવા થવા પ્રયત્ન કરીએ. તે પ્રકારના પ્રશમરસ આપણે પ્રાપ્ત કરવા પ્રેરાયા છીએ અને તેના વિકાસ ઇચ્છીએ છીએ. જેમ ક્રોધી માણસ પેાતાના વાતાવરણમાં ક્રોધના પડઘા પાડે છે કે નિંક નિદાના પડઘા પાડે છે તેમ જ પ્રશમરસમાં લદબદ થયેલા પ્રાણી પોતે તે શાંત રહે છે પણ પેાતાના વાતાવરણમાં પણ શાંત રસ જમાવે છે, ફેલાવે છે અને આખા વાતાવરણને તૈમય બનાવી દે છે. તીર્થંકર દેવના જ્યાં વિહાર થાય ત્યાંથી કેટલાએ ચેાજન સુધીમાં દુભિક્ષાદિના પ્રચાર થતા નથી, એ પ્રશમરસને મહિમા છે. પ્રશમરસની પહેલી ખાસિયત એ છે કે એ હેાય ત્યાં ક્રોધના તે અભાવ જ હાય. પ્રશમ અને ધને સ્વાભાવિક રીતે વેર હોય છે. એટલે પ્રથમ હોય ત્યાં ક્રોધ કોઈપણ આકારમાં ટકી શકે નહિ. ક્રોધીની ધમાધમ અને પ્રશમરસમાં પડેલાની શાંતિ વિચારતાં પ્રશમ અને ક્રોધને અને તેવું નથી, એમ સહજ જ લાગે છે. પ્રશમરસના ઘણું। સુંદર દાખલે સ્કંધકાચાય ના છે. એ પાંચસે શિષ્યને લઈને પેાતાના જન્મસ્થાનમાં આવ્યા ત્યારે એને ખ્યાલ ન હતા કે ચાલુ રાજા પૂર્વનું મહા ભય'કર વૈર લેશે. તે રાજમહેલને રસ્તે નિઃસ્પૃહીપણે ગેચરી કરવા નીકળ્યા. ત્યાં મહેલમાં બેઠેલ રાજાને કધકનું દેખવાનું થયું અને તેને દેખતાં જ એ વિકરાળ ભય'કર માણુસને પૂર્વનું વૈર યાદ આવ્યું. એણે તે કાળુ છે તેની તપાસ કર્યા વગર હુકમ કર્યો કે આચાય અને તેના પાંચસે શિષ્યને ઘાણીએ પીલી નાખવા. એ નણતા ન હતા કે 'ધક તે આ જ નગરના એક વખતના પૂર્વ રાજા છે. તુરત હુકમ છૂટયા અને ઘાણી તૈયાર કરી. સ્કંધકે પણ રાજા પાસે જવાની કે દલીલ કરવાની વાત ન કરી. એ તે એક પછી એક પાંચસો શિષ્યને નિઝામણા કરવાના કામમાં લાગી ગયા. અને દરેકને કહે કે આત્માને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy