SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર ૫૮૩ આ ત્રણ પ્રકારમાંથી કઈ પણ પ્રકારમાં પિતાને આત્મા છે કે નહિ તે વિચારવું અને ન હોય તે આરાધક થઈ આ મનુષ્યભવપ્રાપ્તિને સફળ કરવાની જરૂર છે. આરાધના કરવી તદ્દન સહેલી છે, અશક્ય-મુકેલ વાત નથી. વાત એ છે કે એવી આરાધના કરવાની તીવ્ર ઈચ્છા થવી જોઈએ અને તે માટેની માર્ગસેવના આદરી દેવી જોઈએ. રસ્તે નહિ જડ્યો હોય તે તમારી પ્રબળ ભાવનાને અંતે અનુકૂળ માર્ગ જડી આવશે. માટે પ્રયત્ન કરે. આ વાત આવતી ગાથામાં કહેશે. ત્યાંથી તે સમજવી. (૨૩૩) આરાધના કરવાની પ્રેરણુ– तासामाराधनतत्परेण तेष्वेव भवति यतितव्यम् । यतिना तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन ॥२३४॥ અ–તેઓની સેવા-આરાધના કરવા તત્પર થયેલ વ્યક્તિએ તેમનું આરાધન કરનારાઓની ભક્તિ કરવી, તેમને વસ્તુ દેવી, લાવી મૂકવી અને તેમની સમાધિ કરવી. તેમ કરવાથી તેઓ આરાધક થઈ શકે છે. (૨૩) વિવેચન–આ ગાથામાં કોણ પ્રાણી આરાધનાતત્પર થઈ શકે તેનું લક્ષણ બતાવ્યું છે. આરાધના કરનારા પિતાના સ્વભાવથી આવા પ્રકારના હોય તે અત્ર વિગતવાર બતાવી પ્રકરણ પૂરું કરે છે. તાસાં–તેઓના, એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્માના નિશ્ચયથી મૂળ ગુણ છે તેઓને મેળવવા તત્પર માણસ કેવો હોય તેનું વર્ણન અત્ર કરી બતાવે છે. તમે તેવા થાઓ એ એમાં ગર્ભિત ઉપદેશ છે, જે ઉપદેશ ઈચ્છુક માણસે લેવા ગ્ય છે. આરાધના––જેઓ એવા પ્રકારની સેવા ઉઠાવવા તૈયાર થઈ ગયા હોય તેમને નિષ્પાદન કરવા પ્રયત્ન કરી રહ્યા હેય. આરાધકનું અત્ર વર્ણન છે તે વિચારણીય છે. તેષ–સમકિત, જ્ઞાન અને ચારિત્ર વિશે ઉદ્યમ કર; એટલે જેઓ જ્ઞાન દર્શન ચારિત્ર મેળવવા તત્પર હોય, જેઓ તે મેળવવા ઈચ્છતા હોય, તેમણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ પ્રયાસ કરે. જ્ઞાન દર્શન ચારિત્રની સેવા કરવી એટલે એમને બદલામાં દર્શન,જ્ઞાન, ચારિત્ર મળે છે. માટે દર્શન, જ્ઞાન કે ચારિત્ર પ્રાપ્ત કરવાને રસ્તે તેમની સેવન કરવાનું જ છે. અને બીજા કેટલાક માર્ગો પણ આ ગાળામાં જ બતાવ્યા છે. તાર—એ જ્ઞાન દર્શન ચારિત્ર પરાયણ જે અન્ય જન હોય તેમની, સંબંધ પરથી સાધુઓ-મુનિએ એ અર્થ સમજવો. - જિનભકિત–તેવા સાધુની અને અરિહંત દેવની ભક્તિ કરવી- ભક્તિ કરવા માટે જિન અને સાધુપુરુષે અહીં જણાવ્યા. તેમની ભક્તિ એટલે સેવાપૂજા કરવી. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy