SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત ૫૩૮ નાનામાં નાના ‘પરમાણુ' છે. તેની નજરે તેના બે વિભાગ ન થઈ શકે. સ્કંધને મળેલ હાય ત્યારે તે ‘પ્રદેશ’ કહેવાય. અને છૂટાછવાયા હોય ત્યારે પરમાણુ કહેવાય. આ પરમાણુ કે પ્રદેશથી નાના ભાગ થઈ શકે નહિં. ઉપર જે એક વર્ણ વગેરે જણાવ્યા તેનાથી પરમાણુ સપ્રદેશી કહેવાય છે, દ્રવ્યથી તે તે અપ્રદેશી છે. ટીકાકાર નીચેના શાસ્ત્રીય લેાક ટાંકે છે. कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एक सवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥ આ કથન પ્રમાણે પરમાણુ તદ્ન નાનામાં નાના, એક રસ, એક વણુ અને એક ગધવાળા હોય છે અને તેમાં એ સ્પર્શ લાલે છે. આ વાત જરા સૂક્ષ્મ છે, તે ધ્યાન રાખીને સમજવી. પરમાણુને અહીં અપ્રદેશી કહ્યો છે ને એ જ કારણે એનાથી નાના પુગળના વિભાગ કેવળી પશુ કલ્પી ન શકે. સ્ક'ધ હોય તે એથી માંડીને અનંત પ્રદેશી હાય. છે. (૨૦૮) છ દ્રવ્યમાં ભાવ— भावे धर्माधर्माम्बरकालाः पारिणामिका ज्ञेयाः । उदयपरिणामि रूपं तु सर्वभावानुगा जीवाः || २०९ || અ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યા પારિણામિક ભાવે રહે. પુદ્ગળાસ્તિકાય. ઔદયિક ભાવ અને પારિણામિક ભાવમાં હાય અને જીવદ્રવ્યમાં સ` ભાવા લાલે. (૨૦૯) વિવરણુ—ઉપર આપણે જે ભાવેાને વર્ણવી ગયા તેમાંના કયે ભાવે છચે દ્રવ્યા હોય તે અહી જણાવી કેટલીક પ્રાસ્તાવિક વાતે કરવામાં આવશે. આ વિષય ખરાખર સમજવા યત્ન કરવે. પારિણાસિક-છ દ્રવ્યો પૈકી ચાર—નર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ પારિણામિક ભાવમાં વર્તે છે. પ્રથમ આપણે ભાવનું સ્વરૂપ સમજીએ. તે સંબંધમાં તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાય પર વિવેચનકર્તા, પડિત સુખલાલજી જણાવે છે કે Jain Education International '' ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશમિક’ કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરા નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મના ઉત્ક્રય તદ્ન રોકાઈ જતાં ઉત્ત્પન્ન થાય છે. ર. કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક' ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સથા કચરો કાઢી નાંખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મના સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy