SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ ૫૩૫ એને નિત્યભાવ છે. તે ત્રિકાળે અબાધિત રહે છે. આ પ્રમાણે આત્મદ્રવ્ય પણ ત્રણે લક્ષણયુક્ત હાવાથી એ' સત્ પદાથ છે. સત્તા આ ત્રણે લક્ષણુ ખરાખર જરૂરી છે કારણ કે એના ઉપર જૈન ધર્મના મૂળ મુદ્દાઓ આધાર રાખે છે. સમજવા તે અવિગમ—અવિનાશ, નિત્યતત્ત્વ. ઘડારૂપ આકાર ક્રૂ, ઘડાના ફૂટીને ઠીકરાં થાય; પણ માટીપણું તે આગળ પાછળ અને વમાન અવસ્થામાં કાયમ છે, એ જ પ્રમાણે આત્મ દ્રવ્યનું સમજવું. એનાં રૂપે કરે, એ જુદે જુદે નામે ઓળખાય, પણ આત્મદ્રવ્ય અથવા એની ચેતનતા કાયમ રહે. એટલે આત્માને સત્ પદાર્થ કહેવામાં આવે છે અને તે સત્ની વ્યાખ્યામાં ખરાખર આવી જાય છે નિત્ય—સ્થાયી, ધ્રુવ. ઘડામાં રહેલ માટીનું તત્ત્વ પહેલાં અને પછી જેમ કાયમ છે તે જ પ્રમાણે સર્વ સત્ પદા'માં આ મૂળ દ્રવ્ય કાયમ છે. આ મૂળ દ્રવ્યને નિત્ય સમજવું, છતાં તેના આકાર તા કરે અને તે અનેક નામે પ્રસિદ્ધ થાય, તેનું સ્થાન પશુ ક્રૂ, પણ તે કાયમ રહે. આ વાતને આત્મદ્રવ્ય સાથે ખરાખર લાગુ કરવી. (૨૦૬) અજીવ સ્વરૂપ, પાંચ અજીવા... એમાં પુદ્ગલ જ રૂપી धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥२०७॥ અથ—ધર્મ, અધર્મ, આકાશ, પુગળ અને કાળ એ અજીવના પાંચ પ્રકાર છે. પુગળ સિવાય બાકીના ચાર અરૂપી છે અને પુદ્ગળા જ રૂપી છે. વિવેચન---આ ગાથાથી અજીવસ્વરૂપ શરૂ થાય છે. આપણે જાણીશું. અત્યાર સુધીમાં છ દ્રવ્ય પૈકી જીવદ્રવ્યની વ્યાખ્યા થઈ. આ સમજી તેના વિસ્તાર પછીની ગાથામાં થશે અને તેના પર પ્રસંગાનુસાર આવશે. આપણે પ્રથમ અજીવાને સમજીએ. ધમ...આ પ્રથમ ભેદ છે. આને ધર્મ એટલે religion(ધર્મ)ના અથ'માં કોઇ ન સમજે. આ જીવે અને પુદ્ગલેના ચલણ સ્વભાવને મદદ કરનાર ધર્માસ્તિકાય છે. મત્સ્યના સંચારનું અપેક્ષાકારણ જલ છે, મનુષ્ય માટે પવન છે અને સ્ક્રૂ નાખવા હાય તે લાકડુ છે. તેવી જ રીતે જીવા અને પુદ્ગલેાના ચલણુ સ્વભાવને મદદ કરનાર ધર્મ તે ધર્માસ્તિકાય. અસ્તિકાય કાળદ્રવ્યને ન કહેવાય, કારણ કે તે એકપ્રદેશાત્મક છે. બાકી જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુગળ એ પાંચે અસ્તિકાય કહેવાય. (૨૦૭). તેના વિસ્તાર હવે અજીવની વ્યાખ્યા વિસ્તાર કરવામાં અધમ--એક જગાએ પડી રહેવું, હાલવુંચાલવું નહિ, તેમાં મદદ કરનારને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. જેમ મુસાફરને વિસામે લેવામાં વૃક્ષાર્દિકની છાયા અપેક્ષાકારણ છે તેમ જીવ તથા પુદ્ગળને સ્થિતિપણામાં પરિણમવા જે અપેક્ષાકારણ છે Jain Education International For Private & Personal Use. Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy