SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમતિ વિવેચન સહિત વિપર્યાસ——તેનાથી ઊલટું અને ત્યારે ઘડાને વિનાશ થાય છે. પ્રથમ જે માટીને વિંડો દેખાતા હતા તે હવે દંડ, ચક્ર અને કુંભારની પ્રવૃત્તિના યેાગે દેખાતે નથી. તે •માટીને પિંડાકાર વિનાશ પામી જાય છે અને તેનું નામ વિગમ કહેવાય. માટીના પડને તે આકારે નાશ અથવા ત્યાર પછી ઘડો ફૂટીને કટકા થાય ત્યારે એ ઘડાના નાશ કહેવાય છે. આવી રીતે પિ'ડને સ્થાને ઘડો આવે ત્યારે ઘડાની ઉત્પત્તિ કહેવાય અને તેના અંત આવે, ભાંગી ફૂટી જાય ત્યારે તેના વિનાશ કહેવાય, ૫૩૪ વિગત——એટલે નાશ. ઘડો ફૂટી જાય અને તેનાં ઠીકરાં થાય ત્યારે ઘડાના આકારે તેના વિનાશ થયા એમ કહેવાય છે. (૨૦૫) સમાં રહેલી નિત્યતા— सांप्रतकाले चानागते च यो यस्य भवति संबंधी । तेनाविगमस्तस्येति स नित्यस्तेन भावेन ॥ २०६ ॥ અવર્તમાનકાળે અને ભવિષ્યકાળમાં જે જેના સંબંધી રહે અને તેના વિનાશ ન થાય તે તે ભાવમાં નિત્ય છે એમ સમજવું (૨૦૬) વિવેચન—આ ગાથામાં દ્રવ્યનું નિત્યસ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુના ત્રણ સ્વરૂપે આગળ જણાવ્યા. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય. આગળની ૨૦૫મી ગાથામાં પ્રથમના એ સ્વરૂપ બતાવ્યા. આ ગાથામાં નિત્યત્વ-ધ્રુવતાનું સ્વરૂપ જણાવે છે. તે સત્ વસ્તુને એળખવા માટે જરૂરી છે. જીવસ્વરૂપને, એ પ્રથમ તત્ત્વને સ્પષ્ટ કરનારી આ છેલ્લી ગાથા જ છે. સાંપ્રતકાળ——વમાનકાળ, અનાગત—હજુ આવી પહોંચ્યા ન હોય તે કાળ. જેને આપણે સાંપ્રતકાળ–વત - માનકાળ કહીએ છીએ તે હજુ આવી પહેાંચ્યા ન હાય, એટલે હજુ આવી પહેાંચવાને હાય, તેવે વખતે, અર્થાત્ ભવિષ્યકાળે. સબધી—તેનું અથવા તેમાં. માટી જેની અન્વયી હાય તે, એટલે માટી વગર ઘટ થતા નથી. માટી તા સ કાળે જોઈએ. પછી એને ઘડો મનાવાય કે કુશૂલ (કાઠી) બનાવાય કે ગમે કે પાત્ર, પણ માટી વગર તે ચાલે જ નહિ. આ તેના નિત્યભાવ છે, તે સર્વ કાળ રહેવાના છે. નાશ થયા પછી માટી તા રહેવાની જ છે. આ માટીના ઘડા થાય છે તેા તેમાં માટી નિત્ય તત્ત્વ છે, તે ઘડાના ટૂકડા થાય તે પણ માટી નિત્ય રહેવાની છે. આવી રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા (નિત્યતા) જેમાં હાય તે સત્ કહેવાય છે. ઘડારૂપ આકાર ફરે, પણ તેમા રહેલ માટીપણું તે સ`કાળે કરતું નથી. એ એના ધ્રુવભાવ છે. આ માટી ઘડો થયે ત્યારે પણ હતી અને ઘડાનેા વિનાશ થતી વખતે પણ કાયમ રહે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy