SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું : વૈરાગ્ય હવે આપણે રાગ-દ્વેષ પર વિજય મેળવવાનું નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. કષ એટલે સંસાર. જેનાથી સંસારને લાભ થાય, જેથી સ્વર્ગ-મક્ષ દૂર જતાં જાય, તે કષાય. આ કષાય પર વિજય મેળવવાની બહુ જરૂર છે, એમાં જે પ્રાણુ સંસારને વધારવા ઈચ્છતાં હોય, તેઓ કષાયને ચાહે છે. તેઓ જેના તેના પર ક્રોધ કરે છે અને માન તે self-respectના નામે આઠ પ્રકારે કરી જાણે પિતાની ફરજ બજાવતાં હોય તેમ વતે છે. દંભસેવી ધર્મિષ્ટ તરીકે મનાય છે અને છેવટે લેભ કરી સર્વ ગુણને નાશ કરે છે. આ ક્રોધ, માન, માયા, લેભ એ ચારને સમુચ્ચય કષાય છે. એથી સંસાર ઘણે વધી જાય છે. એમાં સારો દેખાવ માત્ર જ હોય છે, પણ પરિણામે અંદર તે પ્રાણી કષાયથી ભરપૂર ભરેલે હોય છે, અને કેટલીક વાર ગૃહસ્થાઈમાં લેવાઈ જઈ, મોટા દેખાવા ખાતર, કષાય કરી સંસારને વધારે છે. તેટલા માટે આપણે સંસારના મૂળને પિષનાર આ કષાયે – ક્રોધ, માન, માયા અને લેભ–ને, સંસાર વૃદ્ધિ પામી ન જાય અને આ અપૂર્વ માનવદેહ મળેલ છે, તે હારી ન બેસાય, તેટલા માટે, બરાબર પિછાનવા જોઈએ. તેને પિછાની લે ત્યાર પછી પ્રાણી કષાયથી આગળ વધી જઈ, ધ્યાનમાં પ્રવેશ કરી, અંતે સમુદ્રઘાત કરી, કર્મને સરખાં કરી નાખે છે અને છેવટે તેથી મુક્ત થઈ પિતે અજર-અમર થાય છે અને સંસારને હંમેશ માટે ત્યાગ કરે છે. આવા અજર-અમર, સિદ્ધ-બુદ્ધ થવાને માર્ગ અથવા મેક્ષે પહોંચવાનો માર્ગ કષાય પર વિજયમાં છે. એટલા માટે આપણે પ્રથમ તે ઈન્દ્રિયોને (ધૂળ ચીજને ઓળખવી પડશે અને પછી કષાયો કેવા કેવા હોય છે તે બરાબર સમજી તે પ્રત્યેકના વિજયની ચાવીઓ હસ્તગત કરવી જોઈશે. જે આપણને જન્મ–જરા-મરણનો કંટાળે આવ્યો હોય અને આ સર્વ પ્રકારની ઉપાધિમાંથી મુક્ત થઈ મોક્ષે જવા ઈચ્છતા હોઈએ, તે કષાયને બરાબર ઓળખવા જોઈએ અને તે પર કયા માગે વિજય કરવો, તેની ચાવી પ્રાપ્ત કરવી જોઈએ. નહિ તે એક ખાડામાંથી બીજામાં એમ ને એમ આપણે અનંત સંસાર વધારી મૂકીએ છીએ. તેટલા માટે કષાય પર વિજય કેયું અને કેવી રીતે કરી શકે તે ચાવી, આ ગ્રંથમાં બતાવવામાં આપણું ધ્યાન ખેંચ્યું છે. અને કષાયોને ઓળખી તે પર વિજય કરવાની ચાવી બતાવી છે. તેટલા માટે સંસારને નાશ કરવાની અને જન્મ-જરા-મરણના આંટાફેરા દૂર કરવાની આપણી ઈચ્છા પાકા પાયા પર રચાયેલી હોય, તે આપણે પ્રથમ તે કષાને ઓળખવા જોઈએ અને તેના વિજયની ચાવીઓ હસ્તગત કરવી જોઈએ. એમાં જે વાત બતાવવામાં આવી છે, તેમાં સંસારની મર્યાદા બાંધી તેને નાશ કરવાની ચાવીઓ બતાવવામાં આવશે, તે આપણે સમજવી જોઈએ અને કષાય પર વિજય મેળવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy