SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર આ તા અભ્યાસ કરવાની વાત છે; અભ્યાસ કરતાં કરતાં લીટાં દોરવાના એકડા થઈ જશે, આવે! અવસર ફરીીને નહિ મળે. સમજશક્તિ, મનુષ્યજન્મ, દેવ-ગુરુ-ધર્મની જોગવાઈ એ બધાંના લાભ લેવાના અભ્યાસ પાડવાની આ તક છે. માટે, નકામી ખટપટમાં ન પડતાં વિરાગભાવને અભ્યાસ પાડો અને તેમાં પુનરુક્તિદોષ થશે કે નહિ થાય, તેવા મહાનાના વિચાર ન કરે. સંસાર એને લાત મારે, તે પણ, ઘણા કાળના અભ્યાસને લઈને, પ્રાણી તેને ચાટતે જાય છે. તેથી, પુનરુક્તિ થતી હાય તો તેના દોષ વારીને પણુ, આ વિરાગ–વીતરાગ ભાવના-ફરીફરીને કરવી, એમ કહેવામાં આવે છે. અભ્યાસ કરવાના અનંત ભવે પણ જોગ મળે, ત્યારે કાં તે તેમાં મન લગાડતો નથી, કાં તો વચન ખેલતો નથી, કાં તો શરીરથી ગેટા વાળે છે. એણે મન-વચન-કાયાથી અભ્યાસ કર્યાં નથી, નહિં તો તેની આ દશા ન જ હાય. તેટલા માટે પુનરુક્તિ થતી હાય તો, તેને ભેગે કહેવામાં આવે છે કે, આ વિરાગના ભાવ જે રસ્તે થાય તે રસ્તે પ્રયત્ન કરવા. આ પ્રાણી તે, એ અક્ષર લખતાં આવડે એટલે, પેાતાને વિરાગભાવ થયા છે એમ માની આત્મવચના કરે છે. આ વૈરાગ્યભાવને અને તે રીતે, મજબૂત કરવાનું પોતાના હિત માટે આવશ્યક છે. એટલે આ પુનરુક્તિથી દોષિત ગ્રંથ છે, એવી ચર્ચા કે ભાંજગડમાં ન પડતાં આત્મહિત સાધો. (૧૬) * * فان * આ રીતે અહીં પ્રથમ પ્રકરણ પૂરુ થાય છે. તેમાં નમસ્કાર ઉપરાંત આ ગ્રંથમાં શું કહેવાનું છે, અને કયા હેતુથી કહેવાનું છે, તે સંબંધી વાત કરી છે. અગાઉ જણાવ્યું તેમ, ગ્રંથની શરૂઆતમાં આશીર્વાદ, નમસ્કાર અને વસ્તુનિદેશ~~ આ ત્રણ બતાવવાના ક્રમ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યો છે. કેવી યુક્તિથી આ વાત કર્તાએ સાબિત કરી છે, તેની પદ્ધતિ ખાસ અનુકરણ કરવા ચૈાગ્ય છે. Jain Education International આ ગ્રંથની શરૂઆતમાં નમસ્કાર કરવામાં આવ્યા છે અને પછી આ ગ્રંથમાં આવવાના ઉદ્દેશને જાળવી રાખ્યા છે અને આશીર્વાદ ધ્વનિમાં છે, એટલે ત્રણે હકીકતના સીધી રીતે ઉપયાગ કરવામાં આવ્યા છે. આ લેખકની જ્ઞાનસમૃદ્ધિ બતાવે છે. એમણે ખૂબ વિચાર કરીને અસાધારણ રીતે ગ્રંથની શરૂઆત કરવામાં પ્રથમથી જ સંપ્રદાયથી ચાલી આવતી આ ત્રણે ખાખતા જાળવી લીધી છે. આ રીતે તેઓએ સંપ્રદાય જાળવવામાં બહુ દીર્ઘદૃષ્ટિથી કામ કર્યુ છે અને લોકોને પોતાની નમ્રતા ખતાવતાં, અતિ સુ ંદર ગ્રંથની યેાજના કરી આપી છે. આ ગ્રંથ લખતાં તેઓએ જરા પણ મૌલિકતાના દાવા કર્યાં નથી, છતાં આખા ગ્રંથ તદ્ન મૌલિક છે. કોઈ પણ વિદ્વાન માણુસ તે અમુક બીજા ગ્રંથનું અનુકરણ છે. એમ ખતાવી શકશે નહિ. આ ભારે ખૂખીની વાત છે. અને તેઓએ આ ગ્રંથમાં આવેલી બાબતે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy