SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર વૃત્તિ–જીવન માટે, આજીવિકા માટે, પિતાનું પેટ ભરવા માટે. લોક–લેક પિટ ભરવા માટે તેનું તે જ કામ ફરીફરીને કરે છે. નિશાળીએ તેને તે જ પાઠે ફરીફરીને દરરોજ વાંચશે, વકીલ હશે તે ઉપરને વાદી જણાવે છે કે, એમ લખી દરરોજ અનેક દાવાઅરજી લખશે, દાક્તર દવાના ભરતિયા (Prescription) લખ્યા જ કરશે. આવી રીતે તે એકનું એક કામ કરે છે, તેમાં તેને પુનરુક્તિ લાગતી નથી, તેમ જ આ પુસ્તક માટે સમજવું. વેપારી કે કડિયા-સુતારનું કામ ભરણ-પોષણને અંગે છે, તેમ મારે ઈરાદો તમને શુદ્ધ હકીકત સમજાવવાનો છે, તેથી અગાઉ કવિએ કે તીર્થપતિએ કહેલી વાત ફરીફરીને કરવાથી પુનરુક્તિદેષ થતું નથી, કારણ કે ઈરાદો ફેર છે. તદેવ—દુનિયાદારી ચલાવવા, ભરણુ પિષણ કરવા લેકે એક ને એક કામ કરતા જોવામાં આવે છે તેઓને પુનરુક્તિદોષ લાગતું નથી, તેમ મને પણ એની એ વાત કરવામાં પુનરુક્તિદોષ લાગતું નથી. જેમ ખેડૂત ખેતી કરે તેને એનું એ કામ વર્ષો સુધી દરરોજ ઊઠીને કરવાનું હોય છે, તેમાં તેને પુનરુક્તિદોષ લાગતું નથી, તેમ મારે માટે સમજવું. વિરાગવાર્તાહેતુ–રાગદ્વેષ ઊઠી જાય એવી વાતેનું કારણ ગમે કેટલી વાર ફરીફરીને કહેવામાં આવે, તેમાં પુનરુક્તિદેષ થતું નથી. તે ચિત્ય-એ વિરાગ ઉત્પન્ન કરે તેવી વાતને હેતુભૂત વારંવાર ચિતવ, ખૂબ ધ્યાન પર – મન પર લેવો અને લક્ષ્યમાં રાખ. - તમે ગમે તે ધંધે લે, કાપડિયે હશે તે નેનકલાકથી માંડીને ગામઠી (સ્વદેશી) માલ, એ ને એ અનુક્રમમાં, એક પછી એક આવતા આડતિયાને બતાવશે; લુહાર ગરમ લેઢાને દરરોજ સવારના ટીપ્યા કરશે. એમાં મુદ્દાની વાત એ છે કે, એમાં કોઈને પુનરુક્તિદેષ લાગતું નથી, તેમ તમારે આ દાખલાથી જાણવું કે, એકને એક મંત્ર વારંવાર બલવામાં આવે, તેમાં વિષઘાત કે એ કેઈ ઉદ્દેશ હોય છે; દવા લેવામાં વ્યાધિ મટવાને હેતુ હોય છે અને વેપાર ધંધા કે કારીગીરીમાં પૈસા કમાવાને હેતુ હોય છે, તેમ પૂર્વના અત્યંત જ્ઞાની પુરુષ અને તીર્થંકરે કરેલી વાત તેને તે આકારમાં કહેવામાં આવે, તેમાં ઉદેશ વિરાગતા લાવવાનું કે રાગદ્વેષ ઘટાડવાને હેઈ, પુનરુક્તિદોષ થતું નથી, તેમ મેં અહીં જે વાત કરી છે, તેમાં પુનરુક્તિદોષને સવાલ જ નથી. આ વ્યાધિ આકરે, ઊડે અને અનંતભવને હેઈ, તેના ઉપાયે બતાવવામાં આવ્યા છે, તેમાં પુનરુક્તિને કે મારી સામે દેષ લાવે છે તે અસ્થાને છે, અગ્ય છે. (૧૫) અભ્યાસ કરવાનું કારણુ दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन। . तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः ॥१६॥ પ્ર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy