SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પ્રશમરતિ વિવેચન સહિત વસ્તુ ન લેવી. કેટલીક વાર નાની ચીજોમાં છવ હોય છે, તેની શુદ્ધિ રાખવી, તે તપાસી જવું. દેશાદિ અપેક્ષાએ કણ્ય અકપ્ય થાય છે અને અકલ્પ્ય કપ્ય થઈ જાય છે, તેથી સામાન્ય નિયમ છે કે પાંચે બાબતો સાધકે લક્ષમાં રાખી અનંત સુખ પ્રાપ્ત થાય તે રીતે વર્તવું. કશ્ય વસ્તુ એકાંતે કપ્ય નથી. કેઈપણ વસ્તુ એકાંતે કહે છે એમ ધારવું નહિ. જે અમુક દેશ, કાળ કે વ્યક્તિને આશ્રીને કપ્ય હોય તે બીજા દેશ કાળ કે વ્યક્તિગત, સંગમાં અકથ્ય બની જાય છે. એટલે, ઉપર જણાવેલા પાંચે સંગે ધ્યાનમાં રાખી નિયમ પ્રમાણે વસ્તુને કષ્ય કે અકથ્ય સમજવી. આમાં વિવેક કે ગુરુગમની જરૂર રહેશે જ. (૧૪૬) કચ્છ-અધ્યને લાગે તેવો સામાન્ય નિયમ– तच्चिन्त्यं तद्भाष्य तत्कार्य भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत् परतश्च सर्वाद्धम् ॥१४७॥ અથ–સાધુએ તેનું જ ચિંતવન કરવું, તે જ બલવું અને શરીર વડે તે જ કાર્ય કરવું તેને પિતાને અને પારકાને તેમ જ બનેને (પિતાને અને પારકાને સર્વ કાળે પીડા કરનાર ન હોય, બાધા કરનાર ન હોય. (૧૪૭) વિવેચન--જ્યારે ઉપરની ગાથામાં જણાવ્યું કે કમ્ય વસ્તુ પણ અમુક દેશકાળમાં અકથ્ય થઈ જાય છે અને અમુક વસ્તુ ક૯ય જ છે એ એકાંત નિશ્ચય નથી ત્યારે સાધુએ શું કરવું અને કઈ વસ્તુને કર્ણ ગણવી એને એક સર્વને લાગુ પડે તેવો નિયમ બતાવે છે. આ ગાથામાં સુખને અંગે આપણે તે નિયમ સાધકને માટે જોઈ જઈએ. એ કામ આપે તે અને ઉપયોગી નિયમ છે. - ચિત્ય –ત્યાં પ્રથમ ચિંતવન એવું કરવું અને મનેગને એવી જ બાબતમાં પ્રવર્તાવ કે પિતાને કે પારકાને તેથી કોઈ પણ પ્રકારની બાધા કે પીડા ન થાય, કારણ કે બાધા પીડા, હેરાનગતિ કે ત્રાસ એ સર્વ એક જાતની હિંસા જ છે. સાધુએ મનમાં ચિંતવન એવું કરવું જોઈએ કે એ ચિંતવનને પરિણામે કોઈને પીડા ન થાય. આ પ્રથમ નિયમ જણાવ્યું. ભાષ્ય–અને બીજે નિયમ એ જણાવ્યું કે ભાષણ, બેલી કે ઉચ્ચારને પરિણામે, પિતાને, પારકાને કે બન્નેને બાધા ન થાય, દુઃખ ન થાય. ઘણી વખત વચન તો બીજાના પ્રાણ લઈ લે છે. એટલે સામાની લાગણી દુખવનાર વચન ન લાવું જોઈએ. વચન સામાને આકરું લાગે તો તે પણ સામાની હિંસા કરનાર છે અને અહીં તો મર્યાદા કરી છે કે સામાને કે પિતાને દુઃખ લાગે તેવું વચન પણ બોલવું નહિ. આ વચનગપ્રવૃત્તિને બીજે નિયમ કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy