SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ ૩૫૯ સુખ કયાં મળે છે અને કોને મળે છે તે આ પ્રકરણમાં ૧૨૧મા કલેકથી આપણે જેતા આવ્યા છીએ તે જ હજુ ચાલે છે. શુદ્ધ–વસ્તુ શુદ્ધ હોય, ખપે તેવી હોય પણ અકઃ—ન ખપે તેવી છે તેને નિર્ણય કરવાને માટે આવતી ગાથા જુઓ. આજના દેશકાળાનુસાર જે ખપે તેવી વસ્તુ હોય તે ન ખપે તેવી થઈ જાય છે. આજના દેશકાળ સર્વદા બની રહેવાના નથી. દેશકાળાનુસાર અને આપનાર-લેનારની જરૂરિયાતને આધારે એ વસ્તુ ખપે તેવી છે કે નહિ તેને નિશ્ચય કરી સાધકે કમ્ય વસ્તુને જ સ્વીકાર કરો. કોઈ પણ જીવને વધ કર્યા સિવાય અને કોઈ જીવને પીડા ઉપજાવ્યા સિવાય તૈયાર થયેલું ઔષધ જે આજે કલu–ખપે તેવું હોય તે કાલે વસ્તુસ્થિતિ કે જરૂરિયાત ફરી જતાં કે તબિયતમાં ફેરફાર થતાં ન ખપે તેવું થઈ જાય છે. એટલે, આજે જે શુદ્ધ અને ખપે તેવી વસ્તુ હોય તે ચેડા દિવસ પછી ન ખપે તેવી થઈ જાય એ બનવાજોગ છે. . કેમકહષ્યમ--જે વસ્તુ ખપે તેવી હોય તે આવતી ગાથામાં બતાવેલા ધોરણ પ્રમાણે ન ખપે તેવી થઈ જાય છે. કઈ વસ્તુ કેમ અકય થઈ જાય છે તેને માટે આવતી ગાથામાં બતાવેલ નિયમ વિચારે. સાધકે સર્વદા જાગ્રત રહેવું અને ખપે તેવી વસ્તુ જ . સ્વીકારવી અને તે જ માત્ર ઉપયોગમાં લેવી. પિંડ–જે આહાર આજે ખપે તે વિશુદ્ધ હોય તે જતે કાળે અવિશુદ્ધ થઈ જાય. તેથી તે જ વસ્તુ જે અત્યાર સુધી કપ્ય હતી તે હવે પછી દેશકાળ ફરતાં અકથ્ય થઈ જાય છે. એટલે અમુક વસ્તુ હંમેશને માટે કથ્ય છે કે હંમેશને માટે અકલ્પ્ય છે એમ કહેવું બનવાજોગ નથી. - શય્યાવસ્ત્રપાત્ર–જે શમા અમુક સમયે ખપે તેવી હોય, સ્વીકાર્ય હોય તે બીજે વખતે અક૯પ્ય થઈ જાય છે. તે જ નિયમ વસ્ત્ર તથા પાત્રને લાગે છે. એટલે અમુક વસ્તુ ખપે તેવી આજે હોય તે આવતી કાલે કે કોઈ પણ વખતે અમુક દિવસ પછી કચ્છ જ રહેશે એમ ધારવું નહિ. સાધકે તે વસ્તુ લેતી, સ્વીકારતી વખતે કપ્ય છે કે નહિ તે જ જવાનું છે. અને અkખ્ય કોઈ પણ કારણે હોય તે તેને ન સ્વીકારવી. તે વસ્તુને અમુક દિવસ પહેલાં કપ્ય ગણવામાં આવી હતી, માટે તે હંમેશ માટે ખપે તેવી વસ્તુ કે ભેજન છે તેમ ધારી લેવું નહિ. વસ્તુનું કલપ્યાકશ્યપણું નિત્ય ફરતું રહે છે અને તે લેતી વખતે ખપે તેવી છે કે નહિ તે જ સાધકે વિચારવાનું રહે છે. ભેષજ–ઔષધ. સ્થાન પ્રમાણે દેશકાળ પ્રમાણે કયાકણ્યની વ્યાખ્યા ફરતી રહે છે. તેને એકાંત એકસરખે નિયમ નથી. એ વાત સાધકે સારી રીતે વિચારવી. અમુક ઓસડની સાધુને જરૂર છે કે નહિ તેને નિર્ણય તેની જરૂરિયાત પર આધાર રાખે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy