SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ ૩૫૭ અક૯ય–બીજી સર્વ વસ્તુ, બાકીની સર્વ વસ્તુઓ ન ખપે તેવી હોય છે. તે સામાન્ય છેરણ છે. જે જ્ઞાન, શીલ કે તપને મદદ કરે તે કણ્ય વસ્તુ છે અને સોના કે હીરા જેવી બીજી વસ્તુ હોય તે ખપે નહિ તેવી સાધકને અંગે છે. આ સામાન્ય જોરણે ચાલવાથી મટી ગડમથલમાંથી બચી જવાય છે. એક જ ધોરણે ચાલ્યા જવું. આ લેવાની, વાપરવાની વસ્તુ જ્ઞાનને અંગે કે શીલને અંગે કે તપને અંગે લાભ કરનારી છે કે નહિ એ જોવું. તે તે બાબતમાં લાભ કરનારી હોય તે ખપે તેવી છે અને બાકીની સર્વ વસ્તુ અક૯પ્ય છે. ગોચરીને આહાર, અન્ય પાસેથી માગેલી વસતી, શય્યા કે પાત્ર કે ઔષધ આ નજરે જોઈ જવાં. નિશ્ચયે–આ વસ્તુ નિશ્ચયનયથી ખપે તેવી છે. એટલે ઉપલક દૃષ્ટિએ જે વસ્તુ અક૯ય લાગતી હોય તે પણ આ નજરે ખપે તેવી હોય તે નિશ્ચયે – નિશ્ચયનયે તે વસ્તુ ખપે છે. વસ્તુ ખપે કે ન ખપે તેવી છે તેને નિર્ણય આ ધોરણ ઉપર કરો. એમાં કોઈ જાતને વાંધો નથી. સાધુધર્મમાં ઘણા અપવાદ કરવા પડે છે, પણ આ ધારણ રાખવાથી નિર્ણય બરાબર થશે અને કેટલીક વાર અકથ્ય વસ્તુ પણ કહષ્ય બનશે. (૧૩) અકય વસ્તુનું નિદર્શન– यत्पुनरुपधातकर सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्प्यं प्रवचनकुत्साकर यच्च ॥१४४॥ અર્થ જે સમકિતને, જ્ઞાનને, શીલને કે પેગોને નુકસાન કરે તેવી વસ્તુ હોય અને જે પ્રવચનની હેલના (તિરસ્કાર) કરાવે તેવી વસ્તુ ખપે તેવી (કપ્યો હોય તે પણ તે ન ખપે તેવી વસ્તુ બની જાય છે. (૧૪૪) વિવેચન—ઉપરના લેકમાં જે વાત કરી છે તેની નકારાત્મક બીજી બાજુ કહે છે. સમ્યક્ત્વજ્ઞાનશીલચોગાનાં—એ જે વસ્તુ ખપે તેવી હોય, પણ સમકિતને અથવા જ્ઞાનને; શીલને કે મનવચન-કાયાના પેગેને હાનિ કરે તેવી હોય તે તે પણ સાધકને ન ખપે, અકથ્ય ગણાય એમ જાણવું. ઉપરની ગાથામાં કહ્યું કે જે જ્ઞાન, શીલ અને જેગોને અનુકૂળ હોય તે વસ્તુ સામાન્ય રીતે કપ્ય ગણવી. પણ જે વસ્તુ સમક્તિ, જ્ઞાન, શીલ કે વેગને નુકસાન કરે તેવી ખપે તેવી ક વસ્તુ હોય તેને પણ ન ખપે તેવી ગણવી, અને તે વસ્તુ ગમે તેટલી જરૂરી હોય પણ તે કપ્ય હોવા છતાં અકય બની જાય છે. એટલે અહીં ઊલટી વાત બતાવી. જે લાભ કરનાર વસ્તુ છે તે કલપ્ય છે અને જે હાનિ કરનાર વસ્તુ છે તે ખપે તેવી હોય તે પણ ન ખપે. આ રણમાં વસ્તુની મહત્તા નથી, પણ જ્ઞાન, શીલ, તપ તથા સમક્તિની મહત્તા છે. આ ધારણ સ્વીકારવા માટે સાધકને ઉપદેશ કર્યો. Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy