SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર વિભવ–ધન. જે પ્રકારની બુદ્ધિઓ આગળ જણાવી તેવી સંપત્તિ વગરને, મારા જેવો રાંક માણસ, તે મોટા ધનવાન નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા ધરાવે છે, તે એક પ્રકારની ધૃષ્ટતા છે. ધનવાળા નગરમાં પ્રવેશ તે તાલેવો જ કરે, કારણ કે તેમાં અધકચરે ગરીબ તે તણુઈ જ મરે. પરિહણક–-તે વગરને મારા જે સામાન્ય રંક માણસ, ખાસ બુદ્ધિશક્તિ વગરને–તે આમ મોટા ધનવાન તાલેવંતનું અનુકરણ કરવા જાય, તે એક પ્રકારની નાને મેઢ મટી વાત કરવા જેવું છે. - કમક–રંકની જે હું, રાંકડ, ભિખારી. હું તે એક તદ્દન રાંક માણસ છું. મારામાં કોઈ અસાધારણ બુદ્ધિશક્તિ નથી, પણ ભિખારીનું અનુકરણ હું કરું છું. ગ્રંથના મહાન લેખક આ વધારે પડતી નમ્રતા દાખવે છે. અવયવ–ભાંગેલા ધાન્યને. તમે દાણાબજારમાં જોયું હશે કે, ત્યાં ભિખારી કે રાક લેકે ભાંગેલ-તૂટેલ અરધા દાણુ બજારમાં પડ્યા હોય તે વિણવા જાય છે, તેવી રીતે હું તે તીર્થકર અને બીજા પૂર્વકાળના મહાજ્ઞાનીઓએ ઝાપટી નાખેલ અનાજના દાણુ વીણી વીણીને તમારી પાસે રજૂ કરવા દ્વારા તે નગરમાં દાખલ થવા ઈચ્છું છું. ઉછક ઝલન; ઉપાડી લેવું તે. એ નગરમાં વેરાઈ ગયેલા અર્ધા ભાંગેલા તૂટેલા દાણાને હું તે મેળવવા અને તે મેળવીને આપની પાસે રજૂ કરવા ઇચ્છું છું. ગ્રંથકર્તાને મૌલિક્તા પર જરા પણ દા નથી, તે અત્ર નેંધ કરવા જેવું છે. અ મ—શોધવાને માટે. ગામમાં જે દાણા ભાંગ્યા તૂટયા પડેલા હોય તે વીણીને તમારે માટે શોધીને એકઠા કરવા હું ઇચ્છું છું. દાણુ મારા નથી, તે આખા પણ નથી. તે સર્વજ્ઞ શાસનપુરમાં અહીં-તહીં પડેલા છે. તે એકઠા કરવા હું ઈચ્છું છું. - પ્રવેશેલ્સ-એ નગરમાં પ્રવેશ કરવાને હું ઈચછા રાખું છું. હું તે ત્યાં પડેલા અપર્ધા હોય તે દાણુ શોધવા માટે તે નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખું છું. - આ વધારે પડતી નમ્રતા બતાવે છે. આપણે ઉપમિતિભવપ્રપંચ કથા પણ દ્રમથી જ શરૂ થતી જઈએ છીએ. તે જેમ દાણ ઉપાડવા કે તેની શોધ કરવા ગામમાં જાય છે, તેના જે હું છું, એમ ગ્રંથકર્તા નમ્રભાવે કહે છે. અથવા કમકને અથ વામનજી-નીચે માણસ પણ થાય. નાને માણસ ધૂળયાને ધંધે કરી જેમ ગામમાં પડેલા દાણા વીણવા અને તે દ્વારા પિતાને નિર્વાહ કરવા અહીતહીં આંટા મારે છે, તેના જે પાઠ ભજવવા હું સર્વજ્ઞપુરમાં પ્રવેશ કરવા ઈચ્છા રાખું છું. પિતે કોઈ જાતની મૌલિક્તાને દા ન કરતાં, આવી રીતે દાણા વીણવાને ધધો કરનાર છે, તે કેટલું નમ્રતાનું વચન છે, તે ગ્રંથને અભ્યાસ કરશે તે જાણશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy