SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર લાગે તે “પરડ્રા” નામને ત્રીજો અતિચાર. પિતાને તથા પારકાને માટે જે આહારના દે લાગે તે સર્વ દેને “ઉભથડ્રા” નામના ત્રીજા અતિચારમાં સમાવેશ થાય. આમાં રાંધવાના તથા તૈયારી કરવાના સર્વ બેંતાળીશ દેને સમાવેશ થાય છે, અને બીજા પાસે રંધાવવાને અંગે થતા દેને પણ એમાં સમાવેશ થાય છે. પોતે રાંધે તેને અંગે થતા દેને “પણ” નામને ચોથે અતિચાર દોષ કહેવામાં આવે છે અને બીજાની પાસે હુકમ કે વિજ્ઞપ્તિ કરી રંધાવવું તે પાંચમ “રંધામણ” નામને દેષ થાય છે. આ રાંધવારંધાવવામાં અયતના પૂર્વક જે દોષ થાય છે તે દેષ તરીકે જ ગણાય છે. અને બાર વ્રતને આ ચારિત્રાચારમાં સમાવેશ થાય છે. તપાચાર–આમાં છ બાહ્ય અને છ આત્યંતર એમ બારે પ્રકારના તપને સમાવેશ થાય છે. બિલકુલ ન ખાવું તે પ્રથમ “અનશન” તપ. આમાં એકાસણુ, આંબેલ, નવી વગેરેને સમાવેશ થાય છે. પિતાને ભૂખ હોય તેનાથી બેચાર કેળિયા ઊભું રહેવું તે ઉદરિકા” નામનું બીજા પ્રકારનું બાહા તપ કહેવાય. ઘી, તેલ વગેરે ઓછા ખાવા અને નિયમ ધારવા તે “વૃત્તિસંક્ષેપ” નામનું ત્રીજું બાહ્ય તપ છે. અને એ વિગઈને (ઘી, તેલ, ગોળ વગેરેને ) ત્યાગ કરવો તે ચેથા પ્રકારનું “સત્યાગ’ નામનું બાહ્ય તપ કહેવાય. શરીરને કષ્ટ આપવું, ચાદિક કષ્ટ સહન કરવાં તે પાંચમું “કાયલેશ' નામનું બાહ્ય તપ, અને શરીરના અંગોપાંગ સંકોચી રાખવા તે છડું “સંલીનતા” નામનું બાહ્ય તપ. બાહ્ય તપ એટલે બહારનું, બીજા જાણી શકે તેવું તપ કરેલ પાપનું ગુરુ કે વડીલ પાસે પ્રાયશ્ચિત લેવું તે પ્રથમ પ્રકારનું પ્રાયશ્ચિત” નામનું આત્યંતર તપ. યોગ્ય વડીલને વિનય કરે, તેને યેગ્ય માન આપવું તે બીજા પ્રકારનું “વિનય” નામનું આત્યંતર તપ. બાળ, વૃદ્ધ, ગ્લાન(માદા)ની સેવાચાકરી કરવી તે વૈયાવચ્ચ” નામનું ત્રીજું આત્યંતર તપ. અભ્યાસ પુનરાવર્તન અથવા ફરીવાર યાદ કરી જવું તે શું અભ્યાસ’ નામનું આત્યંતર તપ. ધર્મધ્યાન તથા શુકલધ્યાન ધરવું તે પાંચમું ધ્યાન નામનું આત્યંતર તપ, અને કાંઈ નહિ તે દશવીશ લેગસને કાત્સગ કરે તે ઉત્સર્ગ' નામનું છઠું આત્યંતર તપ. આ રીતે બાર પ્રકારના તપ બતાવવામાં આવ્યાં છે, તે સમજીને સમ્યફ રીતે કરવા તે થે તપાચાર, - વીયાચાર–પિતાની શક્તિને ધર્માચરણમાં પૂરેપૂરે ઉગગ કરે છે. એના પણ ત્રણ અતિચાર છે. ૧. પિતાની શક્તિ પવવી. પિતામાં શક્તિ હોય છતાં દેવવંદન, પકિમણું બેઠાબેઠા કરવું અને પોતાનું બળ વીર્ય ગોપવવું તે. (૨) બીજે ધ્યાન આપવું અને (૩) નિરાદરપણે ક્રિયા કરવી. આ વર્યાચારના અતિચાર છે. વિધિવત–એને માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે શાસ્ત્રમાંથી જોઈ વિધિવત્ એટલે શાસ્ત્રમાં ફરમાવેલી આજ્ઞા અનુસાર તેનું અનુકરણ કરવું. વિધિવત્ એટલે વિધિ અર્થાત્ આજ્ઞા પ્રમાણે કરવું. તે પાંચે આચારનું અનુસરણ અને તે માટે અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy