SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કશન અને વિષ તેઓએ તે આ વખત મા તુજ એ શબ્દ ગખ્યા કર્યા અને ચારને બદલે બે શબ્દ થઈ જાય છે એટલું પણ ધ્યાન ન ખેંચાણું. પણ ફેતરાં અને અડદમાં આત્મભાવ સમાકેલે હતે. આત્મા અડદ જે મુક્ત છે, તેને ફેતરાં એટલે કર્મો લાગેલાં છે એમ વિચારતાં વિચારતાં અને એ શબ્દ શેખતાં તેમને કેવળજ્ઞાન થયું. તેઓ ફેતરામાં કર્મની પરતા અને અડદમાં આત્માની મુક્તતા જોઈ શક્યા અને નિષ્કપટ ભાવે એ શબ્દો મા અને તુ યાદ કરતાં અને વારંવાર સ્તવતાં અને યાદ કરવા પ્રયત્ન કરતાં તેઓ કેવળજ્ઞાનને વર્યા. આમ શ્રુતરહિત માણસ પણ સર્વે કર્મ પર વિજ્ય મેળવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કયા માણસને કઈ વસ્તુ લાભ કરશે તે પહેલેથી કહેવું મુશ્કેલ છે. એક સૂત્રના અનેક અર્થ થાય છે, પણ તે જેને ન આવડે તેને નિસ્તાર નથી એમ સમજવું નહિ. આગમના અને ખાસ કરીને શ્રુતજ્ઞાનના અનંત પર્યાય છે. તે આપણે અંગે કેવી રીતે વર્તે છે અને પૂર્વજ્ઞાનીઓએ તે સંબંધમાં શું કહ્યું છે તે સમજીએ તે પણ ઘણું છે. બાકી યાદશક્તિ મંદ હોય તેને નિસ્તાર નથી, એવી બેટી માન્યતા ન રાખવી.. એ તે શ્રુતજ્ઞાનના ક્ષપશમ પમાણે વધારેઓછી થઈ શકે. તે ન હૈય તે તેથી જરાગણે ગભરાવું નહિ. અભણ અથવા અલ્પ યાદશક્તિવાળા ભવને પાર પામતા નથી એવું પણ કાંઈ નથી. શિષ્ય પિતાને શબ્દો વિપરીત કર્યા તે માટે ગુરુએ કાંઈ ઠપકે તેને ન આપે. કેવળી થઈને એ આવ્યા ત્યારે એનું મન ઘણું વધાયું. આવા સમજુ ગુરુ પૂર્વકાળમાં હતા. શકહાલ મંત્રીને મોટો પુત્ર સ્થૂળભદ્ર, એને નાનપણથી વેશ્યા ઉપર પ્રેમ. તેને ત્યાં પિતે રહે અને અનેક પ્રકારના આનંદ ભવે, ખાય પીએ. તેમાં તેના પિતા ઉપર નંદરાજની અવકૃપા થઈ અને તે મૃત્યુ પામ્યા. અસલના વખતમાં દિવાનને છોકરા દિવાન થાય એવો નિયમ હોવાથી સ્વાભાવિક રીતે તેને દિવાનપદ લેવાનું કહેણ મોકલ્યું, કારણ કે રાજાને ખાતરી હતી કે તેના બાપ શકહાલ પ્રત્યે પોતાને ધ વાજબી ન હતે. તેને કોઈ ગુને ન હતે. શકહાલની જગ્યાએ તેના પુત્રને દિવાનપદે વાજબી રીતે નામ જોઈએ. સ્થળભદ્ર તે આ વખત લહેર કરી હતી. તે કે ક્યા વેશ્યાને ત્યાં પડઘો પાથર્યા રહેતા હર્ત. નંદરાજાએ તેને પોતાની પાસે બેલા અને દિવાનગીરી આપવાની વાત કરી. સ્થૂળભદ્દે વિચાર કરી જવાબ આપવાનું જણાવ્યું અને અશોકવાટિકામાં પિતે વિચાર કરવા ગયો. ' તે વિચાર કર્યો કે દિવાનગીરી સાથે કથાને ત્યાં જવાશે નહિ અને પોતાના બાપાના કેવા હાલ થયા હતા, એ દિવાનગીરીમાં શો લાભ છે? એમ વિચારતા હતા ત્યાં સંભતિ આમ આચાર્ય મળ્યા. તેમણે સમજાવ્યું કે એ દિવાનગીરી વગેરે તે બાહા બહિરાત્મભાવ છે અને ખરે માર્ગ તો શ્રી જિખદેવપ્રણીત માન્ય છે અને તેના સામે, દશને અને ચારિત્રને સમજાવ્યાં. સ્થૂળભદ્રને જીવ તૈયાર હતે. તેને સત્ય સુખ ક્યાં છે તે સમજાયું અને પ્ર. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy