SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત " શોકસમુદય–દૈન્યસમૂહ. વલ્લભતા જ્યારે નાશ પામે ત્યારે અનેક પ્રકારના શેકને દિલગીરીને પિતાની પાછળ મૂકી જાય છે, આપણને દીનતાના સમૂહ સાથે ભેટાડી દે છે. એકાદ શેક થાય ત્યારે તે જાણે સમજ્યા, પણ આ તે સંખ્યાબંધ શેકસમૂહ થાય. તેથી, જ્યારે વલ્લભતા ડાં વર્ષ જ ચાલવાની છે તે સમજુ માણસ એને ગર્વ કેમ કરે અને પિતે એટી ધાડ મારી છે એ મદ શા માટે રાખે? અને રાખે છે તે ઉચિત ગણાય? પરામશતિએટલે ભેટે છે. શોક આવીને ચાલ્યું જતું નથી, પણ શેકસમૂહ ભેટે છે અને આપણા મન પર શેક કરાવી અનેક શેકને એ વધારે કરી જાય છે. આ વલ્લભતા ચાર દહાડાના ચાંદરડા જેવી છે. તેને સમજુ, વિચારશીલ માણસ ન જ કરે, અને પિતે વલ્લભ અને લોકપ્રિય છે તે વાતને ગર્વ ન ધારણ કરે. (૯૪) છેલ્લે (આઠમ) મદ જ્ઞાનને ન કરવો ઘટે– माषतुषोपाख्यान श्रुतपर्यायप्ररूपण चैव । श्रुत्वाऽतिविस्मयकर विकरण स्थूलभद्रमुनेः ॥१५॥ सम्पाद्यमसुलभ चरणकरणसाधकं श्रुतज्ञानम् । लब्ध्वा सर्वमदहर' तेनैव मदः कथं कार्यः ॥१६॥ અર્થ–માવતુષની વાત સાંભળીને, તથા શ્રુતજ્ઞાનના અનેક પર્યાની ભગવાને કહેલી તેની પ્રરૂપણું જાણીને–સાંભળીને, અને અતિ અચંબ કરે તેવું સ્થૂળભદ્રમુનિનું ચરિત્ર અને તેમને થયેલી વિકિયા સાંભળીને, પંડિત સાથે સંબંધ અને ઉદ્યમ બંનેથી મળવું સુલભ અને ચારિત્ર્ય અને ક્રિયા બંનેને સાધનાર તથા સર્વ મદને હરી જનાર જ્ઞાન-શ્રુતને પ્રાપ્ત કરીને તે જ શ્રુતજ્ઞાનને મદ કેમ કરી શકાય? અથવા થવે શકય કેમ ગણાય? (૫-૯૬). ' વિવરણ માપતુષ–બહુ ભેળા ભદ્રક પણ ગુરુની આજ્ઞાને માનવાવાળા શિષ્ય હતા. એ નબળી યાદશક્તિવાળા હતા અને લીધે પાઠ પણ તસ્વરૂપે યાદ ન રહે તેટલી ઓછી યાદશક્તિવાળા હતા. ગુરુએ એને ગોખવા અને યાદ કરવા માટે ચાર શબદ આપ્યા. માં રુક્ષ, મા તુવ એટલે કેઈન ઉપર બહુ રાજી ન થઈ જા, કેઈને નવાજી નાખ નહિ અને કેઈ ઉપર ગુસ્સે ન કર. આખા આગમને એ સાર હતે. આપણે આ રાગદ્વેષ પર શરૂ- . આતમાં ચર્ચા કરી આવ્યા છીએ. આ પ્રકરણને અંતે પણ એ રહસ્યસૂત્ર પર વિવેચન થશે. પણ મુનિ શિષ્ય હોવા છતાં આટલા ચાર શબ્દ પણ યાદ રાખી શક્યા નહિ. એને બદલે એમને માવતુવ એટલે “અડદ અને તેના ઉપરના પેતરા એ વિચિત્ર શબ્દ સમૂહ યાદ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy