SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પ્રશમરતિ વિવેચન સહિત હોય તે વસ્તુ સારી કે નરસી નીવડે છે. મતલબ પ્રજન એટલે ઉપગ ઉપર વસ્તુના સારાનરસા પણને આધાર રહે છે. જે સારા ઉદેશથી વસ્તુ વપરાય તે તે સારી - શુભ નીવડે છે અને અંદર ગેટો હોય તે વસ્તુ ખરાબ લાગે છે. વસ્તુ એટલે પાંચે ઈન્દ્રિયના વિષયે અહીં સમજવા. આ પ્રક૫યતિ–તે પ્રમાણે વસ્તુ સારી છે કે ખરાબ છે એમ પ્રાણી કલ્પના કરે છે કારણ કે વસ્તુ પિતે સારી કે ખરાબ નથી, પણ જે હેતુ માટે જ્યાં અને જે રીતે તેને, વસ્તુને ઉપગ કરવામાં આવે તે પ્રમાણે તે સારી કે નરસી છે એમ પ્રાણી કલ્પના કરે છે, ધારે છે, માને છે, એટલે ઇંદ્રિયના વિષયે પિતે ખરાબ કે સારા સ્વતઃ નથી, પણ જે પ્રયજન માટે અને જ્યાં જેવી રીતે તેને ઉપયોગ કરવામાં આવે ત્યાં તેવી રીતે તે સારા છે કે ખરાબ છે એમ પ્રાણી કલ્પના કરી ધારી લે છે. સાકર ઘણી મીઠી લાગે, પણ ગધેડાને તે કડવી લાગે અને માંદાને તે ચિંતા કે ઉદ્વેગનું કારણ થાય એટલે વસ્તુ પિતે સારી નથી કે ખરાબ નથી પણ તેને યોજનારની કલ્પના અને તેના ઉપગ ઉપર તે વસ્તુના સારા ખરાબપણને આધાર રહે છે. એટલે પ્રજનનું કારણ રાગદ્વેષ હોય છે. કોઈ રાગથી લલચાઈ-ખેંચાઈ વસ્તુને-વિષયને સારા માને અને કઈ દ્વેષથી તેને તિરસ્કારી કાઢે. એમ ન હોય તે તે વિષયે સારા અને ખરાબ ન લેવા જોઈએ, પણ તેમ થાય છે એ આ જીવનને આપણને પ્રત્યક્ષ અનુભવ છે. એટલે વસ્તુને જે અને જેવી રીતે ઉપયોગ કરવામાં આવે તેને આધારે તે સારી નરસી બને છે અથવા તેને એક સારોન ગણાય છે. વસ્તુ પિતે સારી કે ખરાબ નથી, પણ પ્રયજન ઉપગ ઉપર ઘણે આધાર રહે છે. પર્યાલચન કરવું એટલે ધારવું. ધ્યાન રાખીને કરેલ અવલોકનને પર્યાલેચન કહેવામાં આવે છે. એ અર્થમાં હરિભદ્રસૂરિ આ શબ્દ અહીં વપરાયેલ ધારે છે અને તે વાત સમીચીન લાગે છે. પરોવૈથતિ એ “પ્રપતિને અર્થ છે. અને તે હરિભદ્રસૂરિની ટીકા અનુસાર અને બેસતે અર્થ છે.. કારણ અને પ્રજન–પ્રોજન પહેલાં હોય તે કારણ અને જના–હેત-ઉપગપૂર્વક જે વસ્તુ ત્યાર પછી થાય તે પ્રજન. પ્રજન પહેલાં કારણ હોય છે અને તેથી જ કારણ અને પ્રજનમાં ઘણે તફાવત છે. કારણ રાગદ્વેષનું હોય છે અને પ્રજન – ઉપગ મતિકલ્પનામાં હોય છે. એટલે કારણ અને પ્રજન જુદાં હોવા છતાં, પ્રજન મતિકલ્પના પ્રમાણે કલ્પાય છે – તે વાત આગળ જતાં સ્પષ્ટ થશે. (૫૦) અભિપ્રાય અને અતિકલ્પના अन्येषां यो विषयः स्वामिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पामिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ॥५१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy