SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કયા અને વિષય ૧૫ વિવેચન–પ્રજન-કર્તવ્ય. કાર્યની સિદ્ધિ માટે, તે સાધવામાં હરકોઈ પદાર્થ કે ક્રિયાનું અવશ્યપણું – એને પ્રજન કહેવામાં આવે છે. મતલબ કહેવાની એ છે કે, કારણને આપીન પડીને આ અવશ્ય ભાવ જરૂર વતે છે. તે પ્રજન જેવા પ્રકારનું અને જ્યાં હોય, તે પ્રમાણે ઇન્દ્રિયના વિષયે શુભ છે અથવા અશુભ છે એવી કલ્પના માણસ કરી લે છે. રાગ અને દ્વેષ જેવા વર્તે તે વખતે રાગને વિષય દ્વેષને વિષય બની જતાં પ્રજન જે અવશ્યભાવી આગલું કારણ છે તે અશુભ પણ થઈ જતું આપણે જોઈએ છીએ. વસ્તુ પોતે કાંઈ શુભ કે અશુભ નથી, પણ આપણા સંગે અને આપણું મન સારું કે ખરાબ હોય, તે પાંચ ઇન્દ્રિયના વિષયે સારા કે ખરાબ થઈ જાય છે. આપણે હાર્મો નિયમ, વાલીન કે નરઘાને અવાજ સારે જાણીએ, પણ આપણું માથું ભમતું હોય, ત્યારે તે જ અવાજ દુઃખ આપનાર થઈ પડે છે, આપણને તે સ્વર ભેંકાર લાગે છે અને તે સ્વર વાગતે કયારે બંધ થાય, એમ ઈચછાય છે. આ પ્રોજન છે. રાગદ્વેષ એ પ્રજન છે. આપણે આનંદમાં હોઈએ તે ઈન્દ્રિયના વિષયે આકર્ષક નીવડી આપણને સુખ આપે અને વિપરિત સંયોગ થાય છે, તે વિષયે માથાનો દુઃખવનાર અને ત્રાસ અપાવનાર – આપનાર લાગે છે. તે જ પ્રમાણે મધુર સ્વાદ આપણને શુભ સ્વાદ લાગે છે, પણ મંદવાડમાં પડયા હોઈએ ત્યારે અશુભ લાગે છે. પ્રજન–આ શબ્દ ખૂબ વિચારવા યોગ્ય છે. તેને અર્થ હેતુ, સબબ અથવ્ય કારણે થાય છે. હરકોઈ ક્રિયાનું કાર્ય હેય, તે પરિણામને પણ પ્રયજન કહેવામાં આવે છે. જે વસ્તુને જે ઉપગ થાય અથવા જે કામમાં તેને લગાડવામાં આવે તે પ્રજન છે. કોલનમરિય ન મોડપિ પ્રવર્તત-મૂર્ખ માણસ પણ પ્રજન વગર, ઉદ્દેશ વગર પ્રવૃત્તિ કરતું નથી. આ પ્રયજન કારણ પછીના હેતુના ઉપગના અર્થમાં વપરાય. છે. જેવું જે પ્રકારનું અને જ્યાં પ્રજન હોય તે પ્રયજન જ - ઉપગ જ વિષયને શુભ અથવા અશુભ બનાવે છે. પ્રજન એ યેજનાપૂર્વક, ઉદેશપૂર્વક હેતુપૂર્વકનું હોય છે. જેનું જેવું પ્રયોજન તે પ્રમાણે તે સ્થાને વસ્તુ સારી કે ખરાબ થાય છે. એટલે કારણ ગમે તેવું હોય તેના પર જોવાનું રહેતું નથી. પણ શા કામ માટે અને ક્યાં તથા ક્યારે અને કઈ રીતે તે વસ્તુને ઉપયોગ થાય છે તે પ્રયજન પર ઘણે આધાર રહે છે અને તે વસ્તુને સારી નરસી બનાવે છે. એકની એક સાકર હોય, પણ માંદા માણસને તે નુકસાન કરે અને મજબૂત તંદુરસ્ત માણસને તે પુષ્ટિ કરનાર થાય. આ રીતે જે કામમાં જે વસ્તુને ઉપયોગ થાય તેમાં તે સારીનરસી નીવડે છે. એમાં વસ્તુનું કાંઈ સ્વતઃ સારા કે ખરાબ પણું નથી, પણ તેનું પ્રજન શું છે, ક્યારે, કેવી રીતે, કેવા વિવેકથી તે વપરાય છે તે પર તે વસ્તુ સારી છે કે નહિ તેને આધાર રહે છે. . આ પ્રજન કારણને લઈને કે સંસારની વૃદ્ધિ કે વાસનાને લઈને ઉત્પન્ન થયું પ્ર. ૧૪ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy