SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કક્ષા અને વિષય ૧૦૭ - અથ–બીજા પ્રાણીઓને જે વિષય પિતાના મતે પુષ્ટિ કરનાર હોય, તે જ વિષયને બીજા, પિતાના અભિપ્રાય મતમાં આસક્ત બની શ્રેષને આધીન થઈ, ધિકકારે છે. (૫૧) વિવેચન–પ્રાણીઓનું અવલોકન કરતાં એમ જણાય છે કે બીજા પ્રાણીઓને જે વિષયમાં પિતાની કલ્પનાના જોરથી અથવા તેમાં આસક્ત થઈ રાગને કારણે મજા આવે છે, તે જ વિષયેને બીજા માણસે ધિક્કારે છે. તે તેમને દુઃખ આપનાર થઈ પડે છે. એક જ વસ્તુ કેવા કેવા ઉપગમાં અને સંગોમાં ફરી જાય છે, તેનું કારણ રાગદ્વેષ સમજવું. એકને જે આનંદ છેડો વખત આપે છે, તે અન્યને દ્વેષ ઊભું કરે છે. આવું સ્પર્શનાદિ સર્વ ઇંદ્રિના વિષય માટે સમજી લેવું. એમાં મતિકલ્પના અને પિતાના સંગાનુસાર બંધાયેલા મત પ્રમાણે પ્રાણ ચાલે છે. એટલે ઇંદ્રિયના વિષયે પૌગલિક હોવાથી એકને શાંતિ કરનાર થાય છે, ત્યારે બીજા પ્રાણીઓ તે જ વિષ તરફ દ્વેષ કરે છે. એટલે વિષય પિતે અનુકૂળ, શુભ અથવા સારા નથી પણ જે એક પ્રાણીને સારા વિષયે લાગે છે, તેના તરફ બીજે દ્વેષબુદ્ધિથી જુએ છે. | સ્વાભિમાણ–રાગથી, પિતાના મતથી. જે સાધારણ રીતે સારા માને છે તે અભિપ્રાયને આસક્ત થયેલ પ્રાણીઓને આ અભિપ્રાય લાગુ પડે છે. સ્વામિકા એટલે પિતાના અભિપ્રાય પ્રમાણે, નિજ મતે એ એને આશય છે. તેના વડે એ જ વસ્તુ સારી કે ખરાબ છે. પરંતુ પૌગલિક હેવાને કારણે સારી કે ખરાબ છે એમ પિતાનું ધારવું થાય છે. - પુષ્ટિકર—કોઈ પ્રતમાં “તુષ્ટિ” એવો પાઠ છે. અર્થ લગભગ સરખા છે. પુષ્ટિકર એટલે પિષણને કરનાર અને તુષ્ટિકર એટલે સંતેષને આપનાર. આ પુષ્ટિ અથવા તુષ્ટિ રાગજન્ય છે અને રાગ તેના તરફ અનુકૂળ નજરે જુએ તે તે શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ કરનાર થાય છે. આ પાઠાંતર ગમે તે કારણે કે લહિયાના લખાણુદોષથી થયું હોય, પણ અર્થને અંગે જરાએ ફેર પડતો નથી; એકને શારીરિક પુષ્ટિના અર્થમાં વાપરો અને બીજાને માનસિક સંતેષના અર્થમાં વાપરે. બંને સમાનાર્થવાળા પાઠાંતરે છે. એનાથી મૂળના અર્થમાં જરાયે ફેર પડતું નથી અને વિષય બદલાતું નથી. સ્વમતિક૫ના–પિતાની મતિકલ્પના. કલ્પના એ માનસિક વસ્તુ છે, મતિજ્ઞાનને વિષય છે. તે કલ્પના પ્રમાણે બીજા માણસે તે વસ્તુ પર દ્વેષ કરનારા મળી આવે છે, બીજા એક પ્રકારના મનુષ્ય તે વિષયને સંતેષ આપનાર અને પુષ્ટિ કરનાર માને છે. વિષયે આવા છે. તે માણસ અનુસાર સારાનરસા, શુભ અથવા અશુભ નીવડે છે. એટલે વિષયોને અતિકલ્પના સારા અથવા ખરાબ, શુભ અથવા અશુભ ધારે છે, કપે છે, પર્યાલેચન કરે છે. આમાં જેવા જેવી પિતાની બુદ્ધિ છે. વિષયે સારા પણ નથી કે સ્વતઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy