SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કષા અને વિષય તદનુસાર થશે. પણ અહીં જણાવવું ઉચિત અને પ્રસ્તુત છે કે, લેડ્યા એટલે મનની દરમિયાનગીરી વગરના આત્મિક અધ્યવસાય. એટલે લેડ્યા સર્વ જીવને ઓછી વધતી હોય, છે, પણ દરેક પશુ, પ્રાણી, પક્ષીને લેયા જરૂર હોય છે. એની સંખ્યામાં ફેર પડે પણ આત્મિક અધ્યવસાય લેગ્યા ઉપર આધાર રાખે છે. લેડ્યા જાતે પૌગલિક છે. તેને રંગવ હોય છે અને તેને પારખવા માટે લેયાના છ પ્રકાર પાડવામાં આવ્યા છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ. આમાં પ્રથમની ત્રણ લેક્યા ખરાબ છે બાકીની ત્રણ સારી છે. તે ઉપર નીચેના બે દાખલા શાસ્ત્રકારે આપ્યા છે તે પણ સમજવા યોગ્ય છે. આપણે તે અને દાખલા વિચારીએ. લેશ્યા–એટલે આત્માના પરિણામો લેક્યા બે પ્રકારની છે, દ્રવ્યલેથા અને ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગળવિશેષાત્મક છે, પણ ભાવલેય તે આત્માના પરિણામ રૂપ છે. એને વિશેષ સંબંધ વેગ અને સંકલેશ પર આધાર રાખે છે. જેમ સંકલેશ તીવ્ર, તીવ્રતર, અથવા, તીવ્રતમ હોય, મંદ, મંદતર કે મંદતમ હોય, તેમ લેયા જ પડે છે. આ સંબંધમાં જાબુફળ લેવા જાબુવૃક્ષ પાસે આવેલ છે મનુષ્યને દાખલે આપવામાં આવેલ છે. તે વખતે એક માણસે કહ્યું કે “લે! ભાઈ! જાબવૃક્ષ તે આવી ગયું. હવે તેના ફળ . લેવા માટે ઉપર ચઢવાની અપેક્ષાએ એ વૃક્ષને કાપી નાંખવું જોઈએ અથવા ખલાસ કરવું, જોઈએ.” એની સાથે બીજે માણસ હતો, તેણે કહ્યું કે, “વૃક્ષ કાઢી નાખવાનું કે કાપવાનું આપણે શું કામ છે ? એની જેમ શાખા પર. જાંબુફા છે તે કાપે. આપણે સ્વાર્થ તે જાંબુ ખાવાનું છે. ત્યારે સાથે આવેલ ત્રીજા પુરુષે કહ્યું : “એ પણ તમારી વાત બરોબર નથી. બધી નાની મોટી ડાળીઓ કાપવાથી શું લાભ છે જેના પર જાંબુ છે. તે જ નાની ડાળી કાપ.” ચેથા માણસે કહ્યું : “એને પણ કાપવી શા માટે જોઈએ? આપણે તે જાંબુ સાથે કામ છે, માટે જે ઝૂમખા બાઝયા હોય તે તોડી લઈએ.” પાંચમા પુરુષે કહ્યું: “આખા ગુચ્છા લેવાનું આપણને શું પ્રયોજન છે? આપણે તે. જાબ સાથે કામ છે તે જ માત્ર લઈને આપણે સંતોષ પામ જોઈએ.” તેમની સાથે, એક છઠ્ઠો પુરુષ આવ્યું હતું તે બે : “આ તમારી વાત નિરર્થક છે. ઝાડ નીચે પણ કેટલાંક જાંબુફળ પડેલાં છે. આપણું કામ ખાવાનું છે, તે નીચે. એની મેળાએ તટેલાં.. જાબુથી સરતું નથી ?” આ છ માણસમાંથી પહેલાની કૃષ્ણલેશ્યા કહેવાય; બીજાની નીલ-, લેડ્યા કહેવાય; ત્રીજાની કાપલેશ્યા કહેવાય; એ પ્રકારે ઉત્તેરાતર થી તેજે, પાંચમી પદ્મ, અને છઠ્ઠી શુકલલેડ્યા કહેવાય. - એક બીજો દાખલે ધન લૂંટવા માટે ગયેલા છે. પુરુષને છે. તે પણ અત્ર, વિચારણીય છે. રસ્તામાં ગામ આવ્યું તે પુખતે છ પુરૂષ પૈકી પ્રથમ બે ઃ અગાસ, આવ્યું, તેને ખલાસ કરી દે. વચ્ચે પશુ-પક્ષી કઈ પણ આવે, તેને પણ ખલાસ કરી દે. પ્ર. ૧૨ Jain Education International For Private & Personal use.Only www.jaineliterary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy