SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પ્રશમરતિ વિવેચન સહિત સારા માણસને દુઃખી કે હેરાન થતા જોઈએ, તે તે કમને ઉદય સમજે. એ રીતે આપણી ઘણું ગૂંચવણે નાશ પામે છે. ઉપરના કર્મબંધના ચાર પ્રકાર સમજવા ગ્ય છે. તેથી અત્ર તેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩૬) કર્મબંધનાં કારણે – तत्र प्रदेशबन्धो योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ॥३७॥ અથ–તેમાં પ્રદેશબંધ મન-વચન-કાયાના વેગથી થાય છે, કષાયના વશથી અનુભાગ બંધ થાય છે અને લેડ્યા પ્રમાણે સ્થિતિબંધ નક્કી થાય છે. (૩૭) . વિવેચન–આ ગાથામાં ચાર પ્રકારના બંધ કેવી કેવી રીતે અને ક્યાં કારણોથી થાય છે, તે બતાવવામાં આવશે– આ પ્રદેશબંધો ગાત-યેગો મન, વચન અને કાયાના પ્રવર્તે છે. એ યોગાનુસારે પ્રદેશબંધ મુકરર થાય છે. એટલે મન-વચન-કાયાને જે રીતે ચલાવી હોય તે પ્રમાણે પ્રદેશ કર્મના દળિયા] ઓછાવત્તા લેવામાં આવે છે. આથી જે મન, વચન અને કાયાને સારી રીતે પ્રવર્તાવી શકે, તે એ છે અને એ છે કર્મબંધ કરે છે, કારણ કે મન-વચન-કાયાના પ્રશસ્ત બે કર્મને કાં તે મુદ્દલ બાંધવા દેતા નથી, અથવા દે તે ખરી પડે તેવા સહેલા સુતર અને ઘણાખરા તે પ્રદેશદયથી ખરી પડે તેવા પ્રકારના હોય છે. એટલે એકંદરે મન-વચન-કાયા ઉપર પ્રદેશબંધ, કર્મની સંખ્યા અને તેના જેરને આધાર રહે છે. આ પૈકી મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દોષ જેને આપણે સામાયિકમાં ખમાવીએ છીએ તે સમજવા ઉચિત છે. આપણે તેનું યથાસ્થાન નિરૂપણ કરીશું. તદનુભવન કષાયવશા–અનુભવનું એટલે અનુભાવ બંધ કે રસબંધ કષાયવશ છે. એટલે કષાય જે પ્રકારને તીવ્ર કે મંદ હોય અથવા અપ્રત્યાખ્યાની કે પ્રત્યા ખ્યાની, અનંતાનુબંધી કે સંજવલન પ્રકારને મંદ કે આકરા હેય, તેના પર એટલે જે પ્રકારને કષાય તે પ્રકારને રસબંધ કે અનુભાગ બંધ પડે છે. ચાલુ પ્રકરણ કષાય સંબંધી હોઈ. એ કર્મબંધમાં કયું સ્થાન લેંગવે છે, તે અનુભાગ બંધ કે રસબંધની વ્યાખ્યા ઉપરથી માલુમ પડી જવું જોઈએ. જેવા ક્રોધ, માન, માયા કે લેભ તે કર્મને રસ પડે છે. અને ઉદય વખતે જરૂર તે પ્રમાણે લાભાલાભ આપે છે ભવાંતરમાં કર્મ જ્યારે ફળ આપે, ત્યારે એની ચીકણાશ મળાશ બંધ વખતે [સેવેલ] કષાય ઉપર આધાર રાખે છે. એટલા માટે પ્રાણીએ કષાયથી ચેતતા રહેવું જોઈએ. સ્થિતિમાકવિશેષઃ ભવતિ વેશ્યાવિશેષણ એટલે કર્મ કયારે ઉદયમાં આવશે અને કેટલો કાળ પડયું રહેશે તે, તે વખતે એટલે બંધ વખતે વેશ્યા કેવા પ્રકારની હોય છે, તે લેડ્યા ઉપર આધાર રાખે છે. આ લેડ્યા ઉપર વિવેચન હવે ચાલે છે અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy