SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૫ માનવ'. શકોરામાં એક અખંડ શાંતિની જ્યોત સળગાવવામાં આવી, જેને બર્લિન શહેર સદા જલતી રાખશે.” કકડીને ભૂખ લાગ્યા પછી જ અન્નનો આસ્વાદ બરાબર માણી શકાય; એમ યુદ્ધનાં કડવાં ફળ પામતાં માનવીનું મન શાંતિ માટે કેટલું અધીરું બને છે એ ઉપરના લખાણ ઉપરથી બરાબર સમજી શકાશે. ગમે તેમ, પણ વિશ્વશાંતિની આવી ઝંખના કરતી મનોવૃત્તિ અવશ્ય અભિનંદનીય ગણાય. અમારા પત્રમાં આ અંગે આટલા વિસ્તારથી અમે સહેતુક લખ્યું છે. વિશ્વશાંતિની મહેલાતનો પાયો અહિંસા છે, પ્રેમ છે; અને અહિંસા એ જૈન સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણરૂપ છે. એ જૈન સંસ્કૃતિના વારસદાર તરીકે જેનો સેંકડો-હજારો વર્ષોથી અહિંસાનો બહુમૂલો વારસો સાચવતા આવ્યા છે. એમ કહી શકાય કે જૈનધર્મના અનુયાયીને એની ગળથુથીમાંથી જ અહિંસાના અમૃતનું પાન કરવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી વિશ્વશાંતિને ચરિતાર્થ કરવા માટે મહત્ત્વનો ફાળો આપવાનું જૈનો ઉપર સ્વયમેવ આવી પડે છે. આવો ફાળો આપીને જ આપણે જૈનધર્મની અહિંસાને અને વિશ્વકલ્યાણકારી મિત્તે સવ્વમૂT – એ ઉદાત્ત ભાવનાને દીપાવી શકીએ. આપણે ત્યાં અહિંસાના વ્રતધારી મુનિરાજો સારી સંખ્યામાં મોજૂદ છે. સત્ય અને બ્રહ્મચર્યના પંથે ચાલનારા એ મુનિવરો પરિગ્રહના મોહપાશથી મુક્ત હોવાના કારણે, જો તેઓ ચાહે તો વિશ્વકલ્યાણ માટે ઘણુંઘણું કરી શકે એમ છે. એમની પ્રાણીમાત્રની સેવા કરવાની વૃત્તિને સફળ બનતાં કોઈ અટકાવી ન શકે એવું સ્વાધીન એમનું જીવન છે. પણ બહારની દુનિયા અને ખાસ કરીને બહારનાં જ્ઞાનક્ષેત્રો અને સેવાક્ષેત્રો સાથે તેઓનો સંબંધ છૂટી જવાના કારણે તેમનું કાર્યક્ષેત્ર અને દષ્ટિબિંદુ સંકુચિત બની ગયું છે, પરિણામે આખા વિશ્વની સેવા કરવાની એમની શક્તિ સાંપ્રદાયિકતાના વાડામાં ગોંધાઈ જઈને સર્જનને બદલે વિસર્જનનું કાર્ય કરવા તરફ વળે છે. આખી દુનિયાને જ્યારે અહિંસાની તીવ્ર ભૂખ જાગી છે, ત્યારે ય જો આપણે સાંપ્રદાયિક સંકુચિતતાને સાચવવામાં જ રાચ્યા કરીશું, તો આપણા માથે અવસર ન ઓળખ્યાનો દોષ આવ્યા વગર નથી રહેવાનો. વળી જો વિશ્વશાંતિના ક્ષેત્રમાં આખો જૈન સમાજ અને ખાસ કરીને આપણા ધર્મગુરુઓ પોતાની સેવાઓ આપવામાં દત્તચિત્ત બને તો તેથી આપણને તો બેવડો લાભ થવાનો છે : પહેલો લાભ તે આપણે આપણા અહિંસાના વારસાને ચરિતાર્થ કર્યાનો અને શુભ કાર્યમાં આપણો સક્રિય સહકાર આપ્યાનો, અને બીજો લાભ એ કે આ રીતે આપણી દૃષ્ટિ અને આપણું કાર્યક્ષેત્ર વિશાળ થતાં સમાજ-જીવનને કોરી ખાતા અને નબળું બનાવતા નાના-નાના કલહો કરતાં આપણે અટકી જઈશું; પરિણામે આપણે સમાજશરીર નીરોગી અને પુષ્ટ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy