SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૪ ૨૯૧ ધર્મકર્તવ્યની ભાવનાને એવી જગાડી ગયા, કે એમણે પોતાના ગુરુદેવોની ભાવનાને સફળ કરવા માટે ખુદ કાંગડાતીર્થ જેવા દુર્ગમ અને અનેક અગવડોથી ભરેલ સ્થાનમાં ચાતુર્માસ કરવાનો હિંમતભર્યો નિર્ણય સાવ સહજભાવે કર્યો, અને શ્રીસંઘના ઉત્સાહભર્યા સ્વાગત સાથે, ગત અષાડ માસમાં, ત્યાં પહોંચી પણ ગયાં. અને જાણે પંજાબ-શ્રીસંઘની આ તીર્થના ઉદ્ધાર માટેથી અરધી સદી જેટલી લાંબી સાધના અને સાધ્વીજીની ભાવના સફળ થવાનો સમય પાકી ગયો હોય એમ, આ બે આવકારપાત્ર આહલાદકારી ઘટનાઓ ચાર મહિના કરતાં ય ટૂંકા સમયમાં બની: ચાતુર્માસની શરૂઆતમાં પુરાતત્ત્વ-ખાતાના એક અધિકારી શ્રી મૃગાવતીશ્રીજીનાં દર્શને આવ્યા અને એમની સરળતા, સાધુતા અને વિદ્વત્તાથી પ્રભાવિત થઈને તથા આ તીર્થના ઉદ્ધાર તથા એની સેવા-પૂજાની માગણીમાં રહેલા વાજબીપણાનો સ્વીકાર કરીને તેઓ આખા ચાતુર્માસ દરમ્યાન આ તીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમાની સેવા-પૂજા કરવાની અનુમતિ આપતા ગયા. કાર્યસિદ્ધિનું આ હતું બીજું સોપાન. અને ચાતુર્માસ પૂર્ણ થતાં પહેલાં સરકારના પુરાતત્ત્વ-ખાતાએ આ તીર્થના મૂળનાયકની બારે મહિના સેવા-પૂજા કરવાની જૈન-સંઘને અનુમતિ આપીને તો જેમ પોતાની ઉદાર દૃષ્ટિનો પરિચય આપ્યો, તેમ આ આખી ઘટના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યો. પુરાતત્ત્વખાતા તરફથી મળેલ આ અનુમતિ અનુસાર સવારના ૮ વાગતાંથી તે બપોરના ૧૨ વાગતાં સુધી ભગવાનની પૂજા થઈ શકશે અને રાત્રે આરતી પણ ઉતારી શકાશે. આ ઘટના સુદીર્ઘકાળના મનોરથોની સિદ્ધિના ત્રીજા સોપાનરૂપે ચિરસ્મરણીય બની રહેશે. જૈનસંઘના – વિશેષ કરીને પંજાબના જૈનસંઘના – પ્રયત્નો સફળ થયા તેમાં, પુરાતત્ત્વખાતાના ડાયરેકટર-મહોદયે આપણી લાગણીઓને જે ન્યાય આપ્યો તથા આપણા સંઘના રાષ્ટ્રીય તથા સામાજિક આગેવાન ધર્માનુરાગી બાબુ શ્રી વિજયસિંહજી નાહરે જે નિર્ણાયક ભાગ ભજવ્યો, તે માટે આપણે બંનેનો આભાર માનવો ઘટે છે. આ તીર્થની સેવા-ભક્તિ કરવાની આપણને જે છૂટ મળી છે, તેથી આપણને બે લાભ થશે એમ અમે માનીએ છીએ: પહેલો અને બહુ જ મહત્ત્વનો લાભ તો એ થવાનો, કે આ તીર્થનો સમુચિત અને પૂરેપૂરો પુનરુદ્ધાર કરવાનો આપણને અવસર મળશે, અને બીજો એ લાભ, કે આ તીર્થના યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહેવાને કારણે આ તીર્થ વધુ ને વધુ લોકપ્રિય અને પ્રભાવશાળી બનતું જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy