SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન તોળતા હોઈએ એવી વિચિત્ર લાગણી સમાજમાં જન્મે છે; અને પૈસા ખર્ચનારને પક્ષે કીર્તિની આકાંક્ષા ઘર કરી જાય છે. સંઘમાં ધર્મપરાયણતાનું સ્થાન ધનપરાયણતા લેવા માંડે છે એ વળી સૌથી મોટો માનસશાસ્ત્રીય ગેરલાભ સમજવો. ૨૮૦ એટલે અમને આપણે ત્યાં આ દિશામાં જે અતિરેક થઈ રહ્યો છે તેમાં વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર લાગે છે. અને તેથી આ માટે આપણા વિચારકો – મુનિવરો તેમ જ ગૃહસ્થો બંને પોતાના સ્પષ્ટ વિચારો પ્રગટ કરે એ જરૂરી લાગે છે. આ વિચારણા અમે આ પ્રથાનું અનુચિત ખંડન કરવાની દૃષ્ટિએ નહીં, પણ એમાં જે કંઈ પ્રમાણાતિરેક કે અવિવેક થતો હોય, તેનું પરિમાર્જન કરવાની દૃષ્ટિએ જ આમંત્રીએ છીએ. ― (તા. ૨૧-૫-૧૯૬૦) અમારા વાચક અને વડોદરા-સંઘના એક વગદાર કાર્યકર શ્રી રસિકલાલ છગનલાલ શાહે, પાલીતાણાની પ્રતિષ્ઠાના વિરોધના સંદર્ભમાં તા. ૩-૧-૧૯૭૬ના રોજ, રાજકોટ મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી વગેરે મુનિરાજોને એક પત્ર લખ્યો છે, અને એની નકલ અમને મોકલી છે. આ પત્ર શ્રી સંઘે વાંચવા-વિચારવા જેવો હોવાથી અહીં તેમાંના મહત્ત્વના અંશો સાભાર રજૂ કરીએ છીએ : “વિ. આપના તરફથી પત્રિકા મળી. તેમાં તમોએ મને સિદ્ધાચલજી તીર્થ ૫૨ જિનબિંબોની પ્રતિષ્ઠા સંબંધી વિરોધ કરવાની પ્રેરણા આપી. પરંતુ આ સંબંધી મારા વિચારો નમ્રભાવે આપ સમક્ષ રજૂ કરું છું. હું તો ધાર્મિક બાબતમાં ઘણો નાનો કહેવાઉં અને શાસ્ત્રનો પણ મને બિલકુલ અભ્યાસ નથી; તેની દલીલોમાં હું તમને મહાત કરી શકું નહીં. છતાં હું જે માનું છું તે આપ સમક્ષ રજૂ કરું છું... “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નકરો લઈ પ્રતિષ્ઠા કરાવવાનો આદેશ આપવાનું નક્કી કર્યું છે તે તમારી દૃષ્ટિએ, શાસ્ત્રની દૃષ્ટિએ, બરોબર નહીં હોય. પણ શું તમોને એમ નથી લાગતું કે પૈસાદારો જ બોલીમાં પ્રતિષ્ઠા કરાવવાનો લાભ લઈ શકે છે ? શું મધ્યમ સ્થિતિના માનવીને ધર્મ કરવાનો હક્ક છિનવાઈ જાય ત્યાં સુધી આપણે શાસ્ત્રનું શરણું લીધે રાખીશું ? શું મધ્યમ કુટુંબમાં જન્મ્યો એટલે એને પ્રતિષ્ઠા કરાવવાનો લાભ મળે જ નહીં ? અને જો પ્રતિષ્ઠા તેને કરાવવી હોય, તો પૈસો ગમે તે રીતે પેદા કરવો એવો આપનો મત છે ? શું એક મધ્યમ કક્ષાના પવિત્ર માનવીના હાથે શ્રી આદેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા થશે તે હિતાવહ અથવા શાસ્ત્રાધીન લાગે છે કે પછી દાણચોરી, કાળાબજાર કે ઇતર રીતે પૈસા પેદા કરી કોઈ બોલી બોલી ભગવાનની પ્રતિષ્ઠા કરે તે બરાબર લાગે છે ? પહેલાંના જમાનામાં ધનાઢ્ય ગણાતો વર્ગ પ્રામાણિકતાથી ધન પેદા કરતો હતો. મહાજનમાં જેનું નામ હોય તે મહાજનની કાળજી રાખતો હતો. પણ આજે પૈસો એ જ પરમેશ્વ૨’ એમ માની યેનકેન પ્રકારે પૈસો પેદા કરી સમાજમાં વહીવટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy