SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ ગૌતમસ્વામી - શી નવાઈ ? ગતગસ્વામીની નામના મેર લબ્ધિઓના ભંડાર - તરીકે વિસ્તરી રહી. ' કેવી કેવી એ લબ્ધિઓ હતી? તેઓના હાથને સ્પર્શ થત અને જીનાં દુઃખ-દર્દ દીનતા દૂર જઈ જતાં. એમના મળે દુર્ગધ મારતા મળે ન હતા, પણ રેગોને દૂર કરનાર સુવાસિત ઔષધે હતાઃ ગસાનાને બળે એમની નાડીઓ અને ઇંદ્રિયે આવી નિર્મળ અને ઉપકારક બની ગઈ હતી. એક ઇંદ્રિયથી તેઓ બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા. ધરતી ઉપર ચાલતા હોય તેમ, સાવ સહેલાઈથી તેઓ આકાશમાં ગમન કરી શક્તા. સામાના મનને જાણવું અને દૂર દૂરની ઘટનાઓ કે વસ્તુઓને જાણી લેવી એ એમને માટે રમતવાત હતી. સૂર્યનાં કિરણેને આધારે તેઓ દુર્ગમ પહાડ ઉપર જઈ શક્તા અને પહાડને ઓળંગી શકતા. ઈશારામાત્રથી તેઓ ઝેરને દૂર કરી દેતા. અંતરના વેધક તેજને તેઓ બહાર વહાવી શકતા. એમના અંગૂઠામાં એવું અમૃત વસતું કે જે વસ્તુને એનો સ્પર્શ થતા એ અખૂટ બની જતી. આવી તે કંઈક કંઈક સિદ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી બન્યા હતા ગુરુ ગૌતમ. આવી સિદ્ધિઓ અને લબ્ધિઓમાંથી કોઈ ને કોઈ પ્રકારના ચમત્કારે તે બધાય ગસાધકેમાં પ્રગટતા જ રહે છે, છતાં ગુરૂ ગૌતમસ્વામીને પુણ્યાનુગ કંઈક એ વિશિષ્ટ હતું કે તેઓ લબ્ધિઓના ભંડારરૂપ બનીને દુઃખી-રોગી જીવેના મેટા આધાર, અશરણુના શરણ અને દીનના ઉદ્ધારક તરીકેની કીતિના અધિકારી બની ગયા.. એમની પૂજા, ભક્તિ અને સ્તુતિ તે ઠીક, માત્ર એમનું નામસ્મરણ પણ મંગલકારી લેખાય છે, સંકટોને દૂર કરે છે અને મનના મનેરને પૂર કરે છે, એ એમને મહિમા સર્વત્ર ફેલાઈ ગયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy