SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આઘાત ૨૭ પંડિત બેઠે રહેવા છતાં સર્વજ્ઞપણને ઢોંગ કરનાર આ વળી કેણ પાખંડી જાગે છે, અને કેને ઠગે છે! એમને એમ પણ થયું કે અમારા જેવા વિદ્વાને બેઠા હોય અને લેકેને સત્ય સમજાવીને આવી અગતિમાંથી એ ઉગારી ન શકે તે એ વિદ્યાને ઉપ ગ જ રહ્યો ? કલ્યાણ એ તે અમારું જીવનવૃત ગણાય; એ માટે પણ અમારે આવા ઠગારાઓ સામે લોકોને ચેતવવા. જોઈએ. અને અમારા માટે તે આ કામ બાળકીડા જેવું સાવ સહેલું છે. હમણાં જ એના સર્વજ્ઞપણાનું ગુમાન ઉતારીને એના પાખંડને ઉઘાડે ન પાડું તે હું પંડિત કે ! ઇન્દ્રભૂતિને દેખાવ તે હુંકાર-પડકારનો હતે, પણ એમનું અંતર કંઈક અધીરતા અને બેચેનીને આઘાત અનુભવી રહ્યું : ક્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે એમની સાથે વાદ કરીને એમને પરાજિત કરું ! અને યજ્ઞકર્મ એના ઠેકાણે રહ્યું અને પંડિત ઈન્દ્રભૂતિ. ગૌતમ, પોતાના પાંચસે શિષ્ય સાથે, શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy