SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એકઘાત . ૨૫ -~- ~~-~~~~ ~ ~ ~ ~~ - ત્રિકાળજ્ઞાની ભગવાન તે આશા-નિરાશાથી પર હતા, અને સંસારના ભાવી ભાવને અને તીર્થપ્રવર્તનની પુણ્ય ઘડીને, હાથમાં રહેલા દડાની જેમ, સારી રીતે સમજી શક્તા હતા. ભગવાને જોયું કે બીજે જ દિવસે ધર્મતીર્થને અપૂર્વ લાભ થવાને છે. અને ભગવાન રાતેરાત વિહાર કરી બીજે દિવસે અપાપા નગરીના મહાન વનમાં પધાર્યા. એ જ કાળ, એ જ સમય અને એ જ સ્થાનની વાત છે. અપાપા નગરીમાં સમિલ નામે એક ધનાઢય બ્રાહ્મણ રહે. એણે મોટો યજ્ઞ આદર્યો હતે; અને એ માટે મોટા મોટા નામાંક્તિ કર્મકાંડી અગિયાર બ્રાહ્મણ વિદ્વાનેને નેતર્યા હતા. એ અગિયારમાં પહેલા ત્રણ તે વસુભૂતિના ત્રણ પુત્રો ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા. અગિયારે પંડિત કિયાકાંડ અને મંત્રાક્ષામાં એવા નિપૂર્ણ ગણાતા કે એમના બેલાવ્યા દેવને પણ હાજર થવું પડતું : આવી તે એમની ખ્યાતિ હતી. અપાપા નગરીમાં આજે મેર ધમાલ મચી ગઈ હતી. એક બાજુ હજારે લેકે વિપ્રદેવ સમિલે આદરેલ યજ્ઞનાં દર્શને જઈ રહ્યા હતા, તે બીજી તરફ અસંખ્ય માનવીએ ભગવાન મહાવીરની ધર્મપરિષદા તરફ જઈ રહ્યા હતા. યજ્ઞમાં હોમવા માટે ભેગાં કરેલાં નિર્દોષ પશુઓને આર્તનાદ પણ હવાને જાણે ભારે બનાવતે હેતે. આખી નગરી જાણે હિલોળે ચડી હતી. -. આટલું ઓછું હોય એમ, જોતજોતામાં, નગરીનું આકાશ દેવવિમાનેથી છવાઈ ગયું. લેકેના કુતૂહલને કઈ અવધિ ન રહી. લેકે તો ઉસુક બનીને આકાશની સામે મીટ માંડી જ રહ્યાં ? કેવા કેવા દે, કેવાં કેવાં દિવ્ય વિમાનમાં બેસીને, આવી રહ્યા હતા—જાણે કેઈ ચક્રવતીના સ્વાગત માટે રાજા-મહારાજાઓ અને પ્રધાને શ્રેષ્ઠીઓ ઉત્તમ-આભૂષણે સજીને પોતાના આવાસેની બહાર આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy