SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાળે, તે સમયે પચીસ છવ્વીસ સો વર્ષ પહેલા એ સમય. ઇતિહાસની આરસીમાં એ યુગનું કંઈક સ્પષ્ટ, કંઈક અસ્પષ્ટ અને છતાં એકંદર સુરેખ પ્રતિબિંબ જોવા મળે છે. એ પ્રતિબિંબ જેવું આહ્લાદકારી છે, એવું જ વિષાદપ્રેરક પણ છે. ભારતવર્ષ તે ધર્મોની જન્મભૂમિ લેખાય છે. કંઈક ધર્મો એની કુક્ષિએ જનમ્યા અને સંસ્કારિતાના પારણે ઝૂલીને એના ખેાળામાં ઊછર્યા. આજેય એ ધર્મોના રાજમાર્ગો અને એની પુણ્ય કેડીએ માનવીને આત્મશુદ્ધિને રાહ બતાવીને એને પિતાના જીવનને અજવાળવાની પ્રેરણા આપે છે. એ ધર્મોએ કેવા ઉદાત્ત વિચારેને માનવસમાજને વાર આપે ! વૈદિક–બ્રાહ્મણ ધર્મોએ કહ્યું: “આખી દુનિયા એક કુટુંબ છે.” “અહીં આખું વિશ્વ એક માળારૂપ બની જાય છે.” જેન શ્રમણસંસ્કૃતિએ વિશ્વમૈત્રીને માર્ગ ચીંધતાં કહ્યું : “ દુનિયાના નાના-મેટા બધાય છે મારા મિત્ર છે; અને દુશ્મનાવટ તે મારે કેઈની પણ સાથે છે જ નહીં.”; “સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉત્સસી.” અને શ્રમણુસંસ્કૃતિની બીજી શાખા બૌદ્ધધમે જગતને સમજાવ્યું: “જે હું છું, એવા જ બધા જીવો છે, અને જેવા બધા જીવે છે, એ જ હું છું—આ રીતે બધા જીવોને પિતાના જેવા સમજીને ન પોતે કેઈ ને વધ કરે કે ન બીજા પાસે વધ કરાવે.”૫ બધા જ સુખી, ક્ષેમકુશળ અને સુખમય આત્માવાળા થાઓ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy