SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ગુરુ ગૌતમસ્વામી ગૌતમ? હે ભગવન! કેટલા કાળ સુધી જીવો વધ્યાઘટયા વિના અવસ્થિત રહે? મહાવીરઃ હે ગૌતમ! સર્વ કાળ સુધી. (કારણ કે કુલ જીની સંખ્યામાં વધઘટ થતી જ નથી. અમુક ગતિમાં જીવની વધઘટ ભલે થાઓ.) (“શ્રી ભગવતીસાર, પૃ. ૪૩૧) જીનું સ્થાનાંતર થતું રહે છે, અને જુદી જુદી ગતિમાં રહેતા જીવોની સંખ્યામાં પણ વધઘટ થતી રહે છે, છતાં એની એકંદર સંખ્યામાં ફેરફાર થતું નથી ? જૈન દર્શનના આ તત્વવિચાર સાથે “પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં જે શેષ રહે છે, તે પૂર્ણ જ રહે છે. એ ઉપનિષદના તત્વવિચારની સરખામણી કરવા જેવી છે. માંદાની માવજતનો મહિમા ભગવાન મહાવીરે મોહનીય કર્મ બાંધવાનાં ૩૦ કારણે બતાવ્યાં છે, તેમાં છઠું કારણ સમજાવતાં ભગવાને કહ્યું છે કે માંદાની, પ્રેરણા દ્વારા કે પિતાની આવડતથી, સેવા કરવાની શક્તિ હેવા છતાં, જે કઈ મહાઘેર પરિણમી ઔષધીની માગણી આદિ કામ ન કરે તે પણ મહામહનીય કર્મ બાંધે છે. માંદાની માવજત (સેવા) કરવી, એ શ્રી જિનને ઉપદેશ છે. આ બાબતમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે? હે ભગવન્! જે માંદાની માવજત કરે તે ધન્ય છે કે જે આપને દર્શનથી પામે એ ધન્ય છે ? ભગવદ્ : હે ગૌતમ! જે માંદાની માવજત કરે છે તે ધન્ય છે. ગૌતમ : ભગવન! આપ એવું શા ઉપરથી કહે છે? ભગવાન ઃ હે ગૌતમ! જે માંદાની સેવા કરે છે તે મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy