SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક સવાલજવાબ ૧૪૭ તેમાંથી નિવૃત્ત થનારને સંસાર ઘટે છે, ટૂંકે થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડ, સંસારને ટૂંક કરો અને સંસારને ઓળંગ એ ચાર પ્રશસ્ત છે, તથા ભારેપણું, સંસારને વધારે, સંસારને લાંબ કરે અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. (“શ્રી ભગવતીસાર', પૃ. ૫૧) કર્મના ભારથી જીવના ભારે થવાનાં અને કર્મના બેજથી મુક્ત થઈને હળવે થવાનાં મૂળભૂત કારણે (અઢાર પાપસ્થાને)નું વિશ્લેષણ આ પ્રશ્નોત્તરમાં સુગમ રૂપમાં જાણવા મળે છે. કેણ સૂતેલા ભલા અને કેણ જાગતા ભલા? જયંતીઃ હે ભગવન !સૂતેલાપણું સારું કે જાગેલાપણું સારુ? મહાવીરઃ હે જયંતિ! કેટલાક ઇવેનું સૂતેલાપણું સારું અને કેટલાક જીવનું જાગેલાપણું સારુ. અધમી લેકેનું સૂતેલાપણું જ સારું; કારણ કે તે જ એ લેકે અનેક ભૂતપ્રાણએને દુઃખ આપનારા ન થાય; તેમ જ પિતાને કે બીજાને કે બંનેને ઘણું અધાર્મિક સંજના (કિયા) સાથે ન જોડે. પરંતુ જે જીવે ધાર્મિક છે, તેઓનું જાગેલાપણું સારું છે, કારણ કે તેઓ અનેક ભૂતપ્રાણીઓને સુખ આપનારા થાય છે; અને પિતાને, પરને કે બંનેને ઘણી ધાર્મિક સંજના (કિયા) સાથે જેડનાર થાય છે. વળી એ જીવો જાગતા હોય તે ધર્મજાગરિકા વડે પિતાને જાગ્રત રાખે છે. માટે એ જીવનું જાગેલાપણું સારું છે. ' જયંતી હે ભગવન!સબલપણું સારું કે દુર્ભયપણું સારું ? મહાવીરઃ હે જયંતિ! કેટલાક છાનું સબલપણું સારું અને કેટલાકનું દુબલપણું સારુંઃ ધાર્મિક જીવોનું સબલપણું સારુ, અને અધાર્મિકનું દુર્બલપણું સારું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy