SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી એક દિવસ ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પશી ગઈ...જાણે લેાહને પારસને સ્પર્શ મળ્યા; અને વિલાસમાં ડૂબેલા એના આત્મા ત્યાગધમને ઝંખી રહ્યો, માતાને સમજાવીને અને છેવટે એમની આજ્ઞા મેળવીને એ ભિક્ષુક મની ગયા. અને કશ્ર આત્મા ધર્મશૂર બનીને પેાતાની આત્મશક્તિને શતદળ કમળની જેમ વિકસાવવાના પુરુષામાં લાગી ગયે. એવાં દેહની મમતા મૂકીને એમણે આકરાં તપ આદર્યાં આકરાં કે કાયા તેા નર્યા હાડકાંના માળા બની ગઈ, આંખા ઊંડી ઊતરી ગઈ, માંસ સુકાઈ ગયુ. અને જાણે હાડ અને ચામને કાઈ સગપણુ ન હોય એમ ચામડી, હવા વગરની ધમણુની જેમ કે અનાજ વગરના ખાલી કેથળાની જેમ, ટટળવા લાગી. અને છતાં દીનતાનુ નામ નહીં. ધન્ય મુનિ મહાચેાગીની જેમ નિજાનંદમાં સદા મગ્ન રહેતા. એમની જાગૃતિ અજમ હતી. ૧૨૪ એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરનાં વદને આવ્યા. ધન્ય અણુગારનાં દર્શન કરી, એમની સાવ જર્જરિત કાયા જોઈ, એ ભારે અહેાભાવ અનુભવી રહ્યા : કેવા આત્મસાધક વીર ! પછી શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું : << ભગવાન ! આપના શ્રમણ્ સમુદાયમાં ઈંદ્રભૂતિ ગૌતમ ગણધર વગેરે બધા સાધુઓમાં આ ધન્ય અણુગાર સૌથી મેાટા સાધક અને મહાદુષ્કર સાધનાના કરનારા અને કર્મના મૂળમાંથી નાશ કરનારા મહાશૂરવીર છે, એમ હું માનુ છું.” ભગવાને કહ્યું : “ રાજન ! તમારી વાત સાચી છે. ધન્ય સુનિ મારા બધા શ્રમણેામાં મહાદુષ્કર સાધના કરનારા છે.” સાંભળનારા ભગવાનની ગુણગ્રાહક અને મધ્યસ્થ દૃષ્ટિને પ્રણમી રહ્યા. (૩) ભગવાનના સદેશવાહક ભવિતવ્યતા ક્યારેક કેવા દુઃખદાયક સંબધે જોડી દે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy