SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી આવા જ એક મહાન આત્મસાધક સંત, ધ પુરુષ અને સંઘનાયક હતા. અને એમના પારસમણિ જેવા સપર્કથી અનેક પામર અને પાપી જીવાના પણ ઉદ્ઘાર થયા હતા. ગૌતમસ્વામીનુ સ્મરણ કરીએ છીએ અને ગુણગરિમાથી આપતા, યશનામી અને સ્ફટિક સમા ઉજ્જ્વળ વ્યક્તિત્વનાં આહલાદકારી અને પાવનકારી દન થાય છે. પ્રભુ મહાવીરના ચરણે સમર્પિત થયેલુ. એમનું જીવન હતું. પ્રભુ ઉપરની એમની શ્રદ્ધા અને ભકિત અનન્ય હતી. એમની નમ્રતા, સરળતા અને ગુણપ્રીતિ દાખલારૂપ બની રહે એવી હતી. સનું મંગલ ચાહવા અને કરવાની વિશ્વકલ્યાણની ભાવનાની ભાગીરથી એમના રામ રામમાં વહેતી હતી. વાત્સલ્ય અને વિશ્વમૈત્રીના તે અવતાર હતા. મહાન જ્ઞાની હેાવા છતાં જ્ઞાનનુ" ગુમાન, પ્રભુના પ્રથમ ગણધર હેાવા છતાં મેાટાપણાનું અભિમાન અને અનેક જીવાના ઉદ્દારક હાવા છતાં પેાતાના પ્રભાવને અહંકાર એમને સ્પર્શી સુધ્ધાં ન શકતાં. એમના નામે સં સંકટા દૂર થતાં, સહુનું મંગળ થતું અને કઈ કઈ ચમત્કારા સર્જાતા; એમની આવી ખ્યાતિ હેાવા છ્તાં નામનાની કામનાથી તેઓ, જળકમળની જેમ, સથા અલિપ્ત હતા. તે અનત ઋદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિએના સ્વામી હાવા છતાં એનું એમને મન ન કંઈ વિશેષ મૂલ્ય હતુ` કે ન કાઈ ગૌરવ. સસારીને મન જેના ભારે મહિમા હોય છે, એવા પ્રસંગે પણ સર્વથા અનાસકત અને માહમુકત રહેવાની લબ્ધિના આંતરિક ખળ, તેજ અને પરાક્રમનુ વરદાન એમને સાવ સહજપણે મળ્યું હતું. ભવ્ય અને ભદ્ર એમની પ્રકૃતિ હતી; કષાયા, કલેશા, કર્મા અને દાષાને દૂર કરવાની એમની પ્રવૃત્તિ હતી; અને નીતરેલા નીર જેવી નિળ અને ઉપકારક એમની વૃત્તિ હતી. CCRA RoxineR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy