SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ વેરના પડછાયા તેઓ પ્રભુની વધારે નજીક પહોંચ્યા. હવે તે એ પ્રભુની સન્મુખ પહોંચી ગયા; પ્રભુની કરુણાનીતરતી દષ્ટિ સાથે હાલિક મુનિની આંખે જરાક મળી, ન મળી —પણ અરે, આ શું થયું? નવા ભિક્ષુકનું અંતર કંઈક અજબ બેચેની અનુભવી રહ્યું; પ્રભુદર્શનની એની ઝંખના સાવ આથમી ગઈ! અને..અને.......અને એ બેચેનીમાં ને બેચેનીમાં ગુરુ ગૌતમસ્વામીને એણે સવાલ કર્યો : “ ભગવાન ! આ સામે બેઠા છે એ કેણ છે?” ગૌતમે કહ્યું : “એ જ મારા ગુરુ : જગતના ઉદ્ધારક સર્વજ્ઞ ભગવાન મહાવીર.” હાલિક ઉતાવળમાં અને આવેશમાં બેલી ઊઠયોઃ “જે આ જ આપના ગુરુ હોય તે મારે એમનું પણ કામ નથી અને તમારુ પણ કામ નથી ! આ રહ્યો તમારો વેશ!” અને હાલિક, જાણે પાછળ કઈ ભૂત પડ્યું હોય એમ, મુનિને વેશ છેડીને ત્યાંથી તરત જ નાસી ગયે! એનું અંતર આજે કહ્યું કરતું ન હતું ! - આવો વિચિત્ર બનાવ જોઈને ગૌતમસ્વામી તે સ્તબ્ધ થઈ ગયા? આ શું ? વિશ્વામિત્ર ભગવાનનાં દર્શનથી તે કંઈક જીવોને ઉદ્ધાર થઈ જાય છે! ભાવિક જને પ્રભુનાં દર્શન પામવા માટે કેવી કેવી ઝંખના સેવે છે! અને પ્રભુ ઉપર નજર પડવા માત્રથી આ માનવીના અંતરમાં ન માલૂમ કેવો કષાયભાવ-વૈરભાવ જાગી ઊઠ્યો કે એ ત્રિલેકનાથ અને એમના શાસનના વેષને મૂકીને નાસી ગયે! ગૌતમસ્વામીની વિમાસણ અને એમના આશ્ચર્યને કેઈ અવધિ ન રહી. પિતાની વિમાસણ શમાવવા ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું : “ભગવાન ! આપના જેવા વિશ્વવત્સલ પુરુષને જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy