SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રાજ્ઞપંડિત પુરૂષોએ આનું સંશોધન કર્યું છે. અચ્છત ધનપતિની વસતિમાં જિનદેવગણીએ અણહિલપાટકનગરમાં આની પ્રથમ પ્રતિ લખી છે.' આ વાત ટીકાકારે પોતે ટીકા ગ્રંથના અંતમાં લખી છે. આ.ભ.શ્રી અભયદેવસૂરિ મહારાજના સમયમાં સ્થાનાંગસૂત્રથી વિપાકસૂત્ર સુધીનાં નવ અંગો ઉપર ખાસ મહત્ત્વનું કોઈ વિવેચન હતું જ નહિ, એટલે તે બધા ઉપર ટીકા રચવાનું અત્યંત મહત્ત્વનું અતિકષ્ટસાધ્ય અતિ અદ્ભુત કાર્ય તેમણે કર્યું હોવાથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પરંપરામાં તેઓ નવાંગીટીકાકાર તરીકે અત્યંત સુપ્રસિદ્ધ અને માન્ય મહાપુરૂષ છે.વિવિધ વિષયોનું અગાધ જ્ઞાન ધરાવનાર આ મહાપુરૂષે અનેક વિષયો ઉપર બહુ જ તટસ્થ ભાવે વિવેચન કર્યું છે. સ્થાનાંગ સૂત્રની ટીકા તેમણે વિક્રમ સં. ૧૧૨૦માં પૂર્ણ કરેલી છે. જીવનચરિત્ર- ટીકાકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું ઘણું જ રોચક અને અદ્દભુત જીવનચરિત્ર જુદા જુદા પ્રબંધ આદિ ગ્રંથોમાં મળે છે. બધામાં કેટલીક વાતો સમાન છે, તો કેટલીક વાતોમાં વિશેષતા પણ છે. આ તૃતીય વિભાગનું પુસ્તક ઘણું મોટું થઈ ગયું હોવાથી, હવે પછી જે સટીક સમવાયાંગનું સંશોધન-સંપાદન ચાલે છે, તેના પ્રકાશન સમયે આ.શ્રી અભયદેવસૂરિ મહારાજનું જીવનચરિત્ર વિસ્તારથી આપવા ઈચ્છા છે. | વિક્રમ સં.૧૩૩૪માં આ.શ્રી પ્રભાચન્દ્રસૂરિએ રચેલા પ્રભાવકચરિત્રમાં ૨૨ પ્રબંધોમાં ભગવાન્ વજસ્વામી આદિ ૨૨ મહાપુરૂષોના જીવનચરિત્રો વર્ણવેલાં છે. પ્રભાવકચરિત્ર પ્રાચીન તથા ઘણા અંશે પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે તેમાં કેટલુંક પૂર્વના ગ્રંથોના આધારે તથા કેટલુંક દંતકથાઓને આધારે તેમણે વર્ણન કરેલું છે. તેમાં ૧૯મા પ્રબંધમાં તેમણે અભયદેવસૂરિ મહારાજનું જીવનચરિત્ર વર્ણવેલું છે. તેમાં જણાવ્યા પ્રમાણે અભયદેવસૂરિ મ. વિચરતા વિચરતા "પલ્યપદ્રપુરે ગયા હતા. ત્યાં ધર્મધ્યાનમાં મગ્ન અભયદેવસૂરિ મ.ને દેવીએ આગ્રહપૂર્વક વિનંતિ કરી કે “તમે નવ અંગ ઉપર ટીકાની રચના કરો...' અભયદેવસૂરિ મહારાજે દેવીની વિનંતિથી ૧. હસ્તલિખિતમાં ૪ થા ન લગભગ સરખા લખાય છે. એટલે આનો સાચો પાઠ પત્યપદ્ર છે. આ પત્યપદ્ર તે પચપદરા ગામ છે, એમ પં.શ્રી કલ્યાણવિજયજી મહારાજ પ્રભાવકચરિત્રના પ્રબંધાર્યાલોચનમાં જણાવે છે. આ પચપદરા ગામ નાકોડા તીર્થથી જોધપુર જતાં રસ્તામાં આવે છે. નાકોડા તીર્થથી ૧૨ કી.મી. બાલોતરા શહેર છે. ત્યાંથી ૧૩ કી.મી. પચપદરા ગામ છે. પચપદરામાં આપણાં જૈનોનાં ૪૦૦ જેટલાં ઘરો છે, ચાર દહેરાસર છે. ૪૦૦ ઘરોમાં પંદર-વીસ જ મંદિરમાર્ગી રહ્યાં છે. બાકી બધાં તેરાપંથી થઈ ગયાં છે. અમે દોઢ વર્ષ પૂર્વે ત્યાં ગયા હતા. આપણા ઉપાશ્રયની સામે જ ભગવતી માનો આશ્રમ છે. આ ભગવતી માએ ૧૮ વર્ષથી અન્ન-પાણી સંપૂર્ણ છોડી દીધાં છે. મૌનમાં જ રહે છે. લગભગ ૭૦ વર્ષની ઉંમર છે. તેમણે ઓરડાની બહાર પગ પણ ૧૮ વર્ષથી મૂક્યો નથી. અમે બે વાર મળવા ગયા હતા. ઈશારાથી જ વાત કરે છે. “ગળામાં અમૃતકૂપ ખુલી જવાથી અમૃત ઝર્યા જ કરે છે, એટલે આહાર-પાણીની જરૂર જ પડતી નથી' એમ તેમણે અમને જણાવ્યું હતું. ખૂબ પ્રસન્ન હોય છે. ભગવતી મા ભગવાન્ શ્રીકૃષ્ણના ઉપાસિકા છે. આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. તેની બાજુમાં જ ભગવતી મા એક ઓરડામાં રહે છે. પચપદરા જનારે આ આશ્રમની મુલાકાત લેવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy