SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર અહો ! ગુરૂ કલ્પવૃક્ષ ! તારા સમાગમની શી પ્રશંસા કરીએ ! ભગ્ન પરિણામી મેઘકુમારને કેવો બચાવી લીધો ! રમત માત્રમાં દીક્ષાની વાતો કરનાર નવા પરણેલા બાળકને તારા સમાગમે એક દિવસમાં કેવળ જ્ઞાનનો સ્વામી બનાવ્યો. ભોજનની ભક્ષા માગતા ભીખારીને જિનશાસનનો શણગાર સંપ્રતિ રાજા બનાવ્યો. વૈરાગ્ય પામીને પણ ફરી એશઆરામી બની દુર્ગતિમાં ઢળતા સિદ્ધસેનને “વાઘતિ વાધર્ત' સંભળાવી બચાવી લીધો. મહાહિંસક મહા શિકારી અકબર બાદશાહ જેવાને પણ દયામય બનાવનાર તારો સમાગમ, અરે ! એટલું જ નહિ મેધાંધ, મહાહિંસક, નરક સન્મુખ થઈ રહેલા દૃઢ પ્રહારીને બચાવનાર કોણ ! વાંસ ઉપર ચઢી નાટક કરતા વિષયાંધ ઈલાચી પુત્રના ચક્ષુઓનું ઉન્મીલન કરી કેવળ જ્ઞાનનો ભોક્તા બનાવનાર કોણ ! ખરેખર ! આવા તારા સમાગમથી વંચિત રહેનાર પ્રાણીઓનું કેવું દુર્ભાગ્ય ! દીક્ષાભિલાષા અને ગુરૂપ્રાર્થના મોતીચંદના હૃદયમાં જ્ઞાનદીપક પ્રગટ થયો. વૈરાગ્ય તંરગોમાં હૃદય ઝીલવા લાગ્યું. સાંસારિક પદાર્થોની મોહકતામાં ભય દેખાવા લાગ્યો. તે મોહમાં મુંઝાઈ રહેલા ધન ધાન્યાદિની સામગ્રીવાળાઓમાં પણ દીનપણાનો આભાસ થવા લાગ્યો. માત્ર જ્ઞાન દર્શન ચારિત્રાદિનું એકાંતે આરાધન કરનાર પોતાના શરીરે પણ નિસ્પૃહી તે મુનિ મતંગજોની મુનિચર્યામાં જ સુખનો આભાસ થવા લાગ્યો. હવે ક્યારે મને મુનિપણાની પ્રાપ્તિ થાય ! ક્યારે ગુરૂ મહારાજ ની એકાંત સેવાનો લાભ મળે ! અને ક્યારે જ્ઞાનાદિ યોગનો આરાધક હું યોગી થાઉં ! આમ વૈરાગ્ય ભાવનામાં લીન થયેલ મોતીચંદને હવે દીક્ષાની ઉત્કંઠા થઈ રહી, અને ગુરૂ મહારાજને પ્રાર્થના કરી કે : પ્રશમ પીયૂષ પયાનિધિ ! જ્ઞાન દિવાકર ગુરૂ મહારાજા ! અત્યાર સુધી વાસ્તવિક રીતિએ હું અંધ હતો. મહારાજા ! આપે દેશના દઈ આજ મારાં નેત્રોમાં અપૂર્વ પ્રકાશ મૂક્યો. પ્રભો! ભવતારક ! આપ આ સંસારમાં ડબતાને માટે જહાજ સમાન છો. આ વિષય કષાય દાવાન બળતાને શાંત કરવા આપ જળધર સમાન છો. આપ અમારા વિષય તૃષ્ણારૂપ દાહને સમાવવા અમૃત સમાન છો. હે ઉપકારી ! હવે તો તમારું જ શરણ છે માટે આ રંકને ચારિત્ર રત્ન દઈ આપ સમાન ચક્વર્તી બનાવો આપના સંસર્ગથી અને આપની નિર્મળ કૃપાથી મારી વાંછિત સિદ્ધિ થશે. ગુરૂ મહારાજશ્રીએ પણ તેની ભાવના જાણી દીક્ષા પરિણામમાં દઢ બનાવ્યો. મોતીચંદે પણ હવે શીધ્ર દીક્ષા લેવાનો નિર્ણય કરી ઘર તરફ પ્રયાણ કર્યું. મોતીચંદ ઘેર ગયા અને માતાપિતાને સંસારની વિટંબણા, મોહનું સામર્થ્ય, તેમાં પ્રાણીઓનું પારવશ્ય તેનાથી થતા અનેક અનર્થો અને પરિણામે કર્મબંધ તથા જંબૂકમારાદિનો વૈરાગ્ય, મતાપિતા સહિત દીક્ષાનું અંગીકાર કરવાપણું વિગેરે દર્શાવી પોતાનો આંતરિક વિચાર જણાવ્યો. પરંતુ પુત્ર મોહમાં મુંઝાયેલાં માતાપિતા તત્કાળ સાનુકુળ ન થયાં. અને મોતીચંદને વ્યવહાર કાર્યમાં જોડાવું પડ્યું. પરંતુ જેનો અંતરાત્મા ઉજ્વળ થયો છે, સંસાર કારાવાસનું સ્વરૂપ જે બરાબર જોઈ રહ્યો છે, વિષય કષાયની જ્વાળાઓમાં બળતા પ્રાણીઓની વિડંબના જેને પ્રત્યક્ષ થઈ રહી છે, જેણે રૂપ, યૌવન, ધન, સ્વજનાદિનો પ્રેમ, અને ઠકુરાઈ સ્વપ્ન સમાન જાણી લીધી છે, જે વનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001027
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2003
Total Pages828
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy