________________
૨૫૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કથાના સંવાદનાં એકબે દૃષ્ટાંત
“કાલસોરિઓ કૃષ્ણલેશ્યા વર્તતઓ મરી સાતમઇનરિંગ ગયો. કુટુંબપરિવાર સહૂ મિલી સુલસ હૂઈ કઈ – તું આપણા બાપ ખાટકીનઉ કામ કિર. સુલસ કહઇ – પાપ લાગઇ તેહ ભણી હઉં ન કરઉં.
કુટુંબ કહઇ – પાપ તાહરઉં થોડઉં થોડઉં અમ્હે વિંહિચિ લેસિઉ. પછઇ તેહે ભઈસુ દોરે બાંધી પાડિઓ. સુલસ થિ કુઠાર આપિઓ
પહિલઉ ઘાવ દિ; પછઇ અમ્હે સહૂ કરિસિઉ. સુલસ ફરસી લેઈ આપણઉ જિ પગ ઓહાણિઓ. કહિવા લાગુ કુઠાર માહરા હાથથી પિડિઓ. મૂહહૂઈ ગાઢી પીડ. તુમ્હે થોડી થોડી વિહંચીં લિઓ. વિલંબ મ કરુ.
કુટુંબ કહઇ – હૂં ભોલઉ થિઓ. પીડા કહિની કુä લેવરાઈ છઇ ? ઇસિઉ.
–
સુલસ કહઇ -- પીડ લેઈ નથી શકતા, પાપ કિમ લેસિઓ ?”
તે જમાનાના અને સોમસુંદરસૂરિના પૂર્વે થયેલ ખરંતરગચ્છના આચાર્ય તરુણપ્રભસૂરિની કથાઓ સાથે આ ઉદાહરણકથાઓની તુલના કરવી જોઈએ. તે પહેલાં આટલી સ્પષ્ટતા હોવી જરૂરી છે કે લેખક સોમસુંદરસૂરિએ ‘ઉપદેશમાલા’માં જેનો ઉલ્લેખ છે તેને સ્પષ્ટતાથી, વિશદતાથી સમજાવવા તથા અનુવાદને ભારેખમ થતો અટકાવવા આ કથાઓ ઉદાહરણો રૂપે મૂકી છે. મૂળ ગ્રંથ કરતાં કથાઓનો પ્રભાવ વધી ન જાય તેની ખૂબ કાળજી રાખી છે. તેમના જ બીજા બાલાવબોધ યોગશાસ્ત્ર અને ષડાવશ્યકમાં તેમણે રચેલી કથાઓ મોટી તથા કલાત્મક સંયોજનવાળી છે. ત્યાં કથા સ્વતંત્ર કલાકૃતિ બની શકે છે. 'ઉપદેશમાલા બાલાવબોધ'માં ઉદાહરણરૂપ લઘુકથાદેહ છે. ‘યોગશાસ્ત્ર'ના શ્રી સોમસુંદરસૂકૃિત બાલાવબોધમાં ઉપરની જ કાલ સોરિઆ ખાટકીની કથા અહીંના કરતાં
વિશેષ કલા-સૌંદર્યવાળી છે.
એ જ કથાનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ' નો અંત
“બલાત્કારિઇ મહિષ મારવા ભણી સુલસહાથિ કુઠાર આપિઉ. સુલિસ તે કુઠાર ઊપાડી આપણી જિ જાંઘ છેદી. મૂર્છા આવી પડઉ. મૂર્છા વલી પછઉં કહિવા લાગઉ અહો સ્વજનો ! માહરઇ પિંગ ગાઢી પીડા તે તુમ્હે થોડી થોડી વિહેંચી સઘલાઇ લિંઉ, જિસિઇ હઉં પીડરહિત થાઉં.
સગા-સણીજા કહઇ સુલસ, તેં ભોલઉ થિઉં. કહિની પીડ કુણહ કિમ લેવરાઇ છઇ ?
Jain Education International
—
વલી સુલસ કહઇ – એતલી પીડ માત્ર તુમ્હે લેઈ નથી સકતા, માહરઉં પાપ તુમ્હે કેમ લેઅત ? કુટુંબન† કારણે પાપ કરી એકલઉ હઉં નરિંગ દુઃખ સહઉં, તુમ્હે આહાં જિ હિસિઉ. તેહ ભણી કુલક્રમાગતઇ આવી હિંસા હઉં નહીં ક૨ઉં. બાપ જઇ આંધલઉ હુઈ તઉ બેટઇ આંધલઇ હવઉ ? બાપ જઇ કૂઇ પડી કૂંઉ, તઉ બેટઇ કૂ
For Private & Personal Use Only
www.jainelibrary.org