SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૯ ત્યાગ કરીને, મુનિએ મોક્ષનું જ લક્ષ બાંધવું જોઈએ. આવા આવા ઉપદેશ દ્વારા ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું આ અધ્યયનમાં વર્ણન છે. દશમું અચયન–આનું નામ માહી (સમાધિ) છે. જીવનમાં સમાધિની પ્રાપ્તિ શી રીતે થાય તેનું આમાં સુંદર વર્ણન છે. અગિયારમું અધ્યયન-આનું નામ મા (ના) છે. વંથો નો જાયો વિહી વિતી સોગાતી હિય સુદં ર પરર્થ સેય વુિ જવા સિવારે વેવ | ૨૧// આ નિયુકિતમાં ૧ પંથ, ૨ માર્ગ, ૩ ન્યાય, ૪ વિધિ, ૫ ધૃતિ, ૬ સદ્ગતિ, ૭ હિત, ૮ સુખ, ૯ પશ્ય, ૧૦ શ્રેયસ, ૧૧ નિવૃતિ, ૧૨ નિવણ, ૧૩ શિવકર—આ પ્રમાણે મોક્ષમાર્ગનાં ૧૩ નામો પર્યાયરૂપે આપેલાં છે. જંબૂસ્વામી ભગવાન સુધમ સ્વામીને પૂછે છે કે “મતિમાન અહિંસક ભગવાન મહાવીરે ક્યો માર્ગ બતાવ્યો છે કે જે સરળ માર્ગને પ્રાપ્ત કરીને જીવે આ દુસ્તર સંસાર સમુદ્રને તરી જાય છે? હે મહામુનિ ! સર્વદુઃખોમાંથી છોડાવનાર તે શુદ્ધ અને શ્રેષ્ઠ માર્ગ તમે જે રીતે જાણતા હો તે અમને કહો. જે દેવો અથવા મનુષ્યો અમને સંસાર તરવાનો સન્માર્ગ પૂછે તો અમારે શો માર્ગ બતાવવો તે અમને કહો” (સૂ૦ ૪૯૭–૪૯૯) આ પ્રશ્નના ઉત્તરમાં “જેનો આશ્રય લઈને અનેક લોકો પૂર્વે સંસારસમુદ્રને તરી ગયા છે, વર્તમાનમાં તરી જાય છે અને ભવિષ્યમાં તરી જશે તે, કાશ્યપે (ભગવાન મહાવીરે) બતાવેલો મહાવિકટ માર્ગ તમારી આગળ કહું છું', (સૂ૦ ૫૦૧–૦૨) આમ કહીને ભ૦ સુધર્માસ્વામીએ જેનાથી શાંતિ અને સદ્ગતિની પ્રાપ્તિ થાય તે ભાવ માર્ગનું આ અધ્યયનમાં વર્ણન કર્યું છે. અહિંસા, સમતા, સર્વજીવો સાથે આત્મૌપમ્પની (આત્મતુલ્યત્વની) ભાવના વગેરે ઘણું વાતો આમાં કહેલી છે. દાન-પુણ્યની પણ આમાં ચર્ચા છે. અબુદ્ધ છતાં પોતાને બુદ્ધ માનતા જે લોકો ઉદ્દિષ્ટ આદિ આહારનું ભોજન કરીને ધ્યાન કરવાની વાતો કરે છે તેમનું ધ્યાન કેવું દોષવાળું છે તેની પણ આમાં વિચારણા છે. બારમું અધ્યયન—આનું નામ સમોસરા (સમવસર) છે. અહીં સમવસરણ શબ્દનો દર્શનનું મિલન' એવો અર્થ છે. ૧ ક્રિયાવાદી, ૨ અક્રિયાવાદી, ૩ વિનયવાદી, ૪ અજ્ઞાનવાદીઆ રીતે ચાર સમવસરણ (સૂ૦ ૫૩૫) ઉલ્લેખ કરીને સૂ૦ પ૩૬માં અજ્ઞાનવાદમાં દોષ બતાવ્યો છે. સૂ૦ ૫૩૭–૫૩૮ માં વિનયવાદમાં દોષ બતાવ્યો છે. તે પછી સૂ૦ ૫૪૨ સુધી અયિાવાદની અને તેના દોષોની ચર્ચા છે. તે પછી ક્રિયાવાદનું વર્ણન છે. અહીં ક્રિયાવાદને સમ્ય १. “समवसरति जेस दरिसणाणि दिट्ठीओ वा ताणि समोसरणाणि।"-चूर्णि पृ. २०७। “सम्यग् एकीभावेनावसरणम् एकत्र मेलापकः समवसरणम्"-वृत्ति पृ. २०७, “वादिना सम्यगवसरणं मेलापकः”–वृत्ति पृ० २१०, “समवसरणानि परतीर्थिकाभ्युपगमसमूहरूपाणि"-वृत्ति पृ. ૨૧૨.. બૌદ્ધગ્રન્થ સુત્તપિટકના નિવાત (g૦ રૂ૫૧) માં પણ સમોસાળ શબ્દને સ્થાને મોસાળ શબ્દનો પ્રયોગ કરીને વાદોનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે– यानि च तीणि यानि च सहि समणप्पवादसि(स )तानि भूरिपञ्च । सञक्खरसञनिस्सितानि भोसरणानि विनेय्य ओघतमगा ॥ બોદ્ધાચાર્ય બુદ્ધઘોષે આની ટીકા સુત્તનિપાત-કથા માં (મા ૨, પૃ. ૨૬૧-૨૬૬) આ પ્રમાણે અર્થ કર્યો છે–પરાની તિ મોરનાનિ તથાનિ, વિદિયો તિ કલ્યો . તેનિ થરમા સાથવિદિયા सह ब्रह्मजाले वुत्तद्वासहिदिट्ठिगतानि गहेत्वा तेसट्टि होन्ति, यस्मा च तानि अञ्चतित्थियसमणाणं gવાવમૂતાનિ સસ્થાનિ સિતાનિ કસિત શ્વસેન, ન ધ્વત્તિવના જુઓ ત્રીજું પરિશિષ્ટ, પૃ. ૩૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy