SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ षोडशः साम्यसर्वस्वाधिकारः॥ હવે આખા ગ્રંથના દેહનરૂપ એક પ્રધાન તત્વ સામ્ય-સમતા સર્વસ્વ જ છે, એ વિષય પર, ઉપસંહાર કરતાં, સંક્ષિપ્ત વિવેચન કરે છે. આ આખા ગ્રંથને ઉદ્દેશ શું છે ? સાધ્યબિંદુ ક્યાં છે? પ્રયોજન શું છે?—એ સર્વ ગ્રંથકર્તા બતાવે છે. બીજી રીતે જોઈએ તે, આ અધિકાર પ્રશસ્તિ જેવો છે. સમતાના સંબંધમાં અત્ર જે વિચારો બતાવવામાં આવ્યા છે તે સંક્ષિપ્ત પણ બહાળા છે. મનોનિગ્રહ, મમવ-ત્યાગ અને શુભવૃત્તિ એ સર્વ સમતામાં પરિસમાપ્તિ પામે છે, તેથી સર્વ દ્વાર પર શિખર ચઢાવનારું આ દ્વાર છે. સમતાનું રહસ્ય ધારણ કરવા અત્ર દિગ્દર્શન કરવામાં આવ્યું છે. સમતાનું ફલ: મેક્ષસંપત્તિ एवं सदाभ्यासक्शेन सात्म्यं, नयस्व साम्यं परमार्थवेदिन् । થતા થાઃ શિવપલ્લે, મવન્તિ સો મવમીતિમત્તા ? (૩૫જ્ઞાતિ ) હે તાત્વિક પદાર્થના જાણનાર ! આ પ્રમાણે (ઉપર પંદર દ્વારમાં કહેલ) નિરંતર અભ્યાસના યાગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદનાર તને મોક્ષસંપત્તિઓ એકદમ હસ્તગત થઈ જાય.” (૧) વિવેચન-કાંઈક મમત્વભાવ છોડીને, કાંઈક કષાય છોડીને, કાંઈક ગની નિર્મળતા કરીને અને કાંઈક સ્વાત્મય કરીને શુભ વૃત્તિ કરવી એ આપણે પંદરમા અધિકારમાં જોઈ ગયા. એ સર્વ પ્રશસ્ત પ્રવૃત્તિને હેતુ સમતાની પ્રાપ્તિ કરવાનું જ છે. ત્યારે આ આખા ગ્રંથમાં જે જે સાધન બતાવ્યાં છે, તે સર્વનું સાધ્ય સમતાપ્રાપ્તિ છે. જે તને આ ગ્રંથ વાંચતાં કાંઈ પણ પરમાર્થ સમજાય હેય, તે તે આ જ છે. प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । ચરન સુથારતીવ્રતા ઘરમffમઃ | (હેમચંદ્રાચાર્ય, ગશાસ્ત્ર) મતલબ, “જે કર્મો કોડે જન્મ સુધી તીવ્ર તપસ્યા કરતાં પણ તેડી શકાય નહિ, તેને સમતાને અવલંબવાથી એક ક્ષણ માત્રમાં નાશ થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy