SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સધાય છે. પણ આ ક્રિયાને શાસ્ત્રકાર મહત્તા આપતા નથી. શુભ કર્મબંધ કરાવનારી અથવા સ્વરૂપરમણતા કરાવી નિર્જરા કરાવનારી એમ બે પ્રકારની ક્રિયાઓ હોય છે અને અધ્યાત્મરસિક જીએ ' બીજી સર્વ પ્રકારની ક્રિયાઓ મૂકી દઈને સ્વરૂપરમણ કરાવનારી ક્રિયાને જ આદર કરવો યોગ્ય છે. આ હકીકત કહીને પછી તેઓ ચાર નિક્ષેપાનું સ્વરૂપ બતાવે છે, જે પર ઉપર વિવેચન થઈ ગયું છે. તેઓ પ્રાંતે કહે છે કે “ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડે રે, આ વાત કહીને અધ્યાત્મને રસ્તે જ વસ્તુવિચારણું કરવાનો આગ્રહ કરે છે અને બીજાં સર્વ સાધનેનું લબાડપણું સૂચવે છે. “ક૯પમ’ –અધ્યાત્મ શબ્દને આ વિશાળ અર્થ છે. આ અધ્યાત્મ પિતે જ કલ્પવૃક્ષ છે અથવા અધ્યાત્મરૂપ કલ્પવૃક્ષ છે. કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષનું કામ તેની પાસે આવી યાચના કરનારને ઈચ્છિત પદાર્થ આપવાનું છે. કલ્પવૃક્ષમાં પુગળકો જ એવા હોય છે કે જે મનેવગણે પ્રમાણે ઈચ્છિત પૂરે છે. કેટલાંએક કલ્પવૃક્ષ દેવતાધિષ્ઠિત પણ હોય અને તેની પાસે જઈ મીઠાઈ, મેળા, ફળ, વસ્ત્ર, તાંબુલ, પલંગ, રમતગમતની ચીજો વગેરે જે કઈ વસ્તુ માગવામાં આવે છે તે તુરત જ નજરે પડે છે. જેના શાસ્ત્રકાર જ આ પ્રમાણે કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે એમ જ નહિ, પણ અન્ય શાસ્ત્રકારો પણ કલ્પવૃક્ષની વાત કહે છે. ક૯પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન વગેરે કથાનુગપ્રસિદ્ધ શબ્દ છે. અત્ર આ શબ્દને ઉપગ અલંકારની ભાષામાં વાપરવામાં આવ્યો છે. જેમ કલ્પવૃક્ષની પાસે જઈ જે કાંઈ વસ્તુ શકે છે. તેવી જ રીતે આ અધ્યાત્મ ગ્રંથરૂપ ક૯પક્ષ છે. એની પાસે આત્મિક સૃષ્ટિને લગતે જે કોઈ પદાર્થ માગવામાં આવશે તે માગનારને અહિં મળશે. આત્મિક વ્યવહાર સાથે તેને લગતે અને દૂર કરવા ગ્ય સાંસારિક વ્યવહાર અને તેનું દુષ્ટ સ્વરૂપ પણ સાથે બતાવવામાં આવ્યું છે, એટલે અધ્યાત્મને લગતા ઘણ ઉપયોગી વિષયો આ ગ્રંથમાં મળી આવે તેમ છે. આ ગ્રંથને શબ્દાર્થ છે, સેળ શાખાઓ-આ વાંછિત પદાર્થો અને સત્ય આપનાર મહાન વૃક્ષની સોળ શાખાએ ગ્રંથ કર્તાએ ક૯પી છે. સેળ શાખાવાળું વૃક્ષ કાંઈ નાનું હોય નહિ અને વિશેષ પત્રપુષ્પાદિને લીધે તે ભવ્ય દેખાય એમાં કાંઈ નવાઈ નથી. ગ્રંથકર્તાએ અધ્યાત્મને વિષય બહુ ઉપયોગી ધારી તે પર અનેક પ્રકારે ઉલેખ કર્યો છે. આ ગ્રંથની યોજના બહુ સુંદર પ્રકારની રાખવામાં આવી છે. સર્વ જીવોનું અંતિમ સાધ્ય મેક્ષ અને તેનું પ્રથમ કારણ સમતા છે. સાંસારિક સ્થિતિમાં રહેનારને તે મુખ્ય સાધ્ય સમતાપ્રાપ્તિનું હોવું જોઈએ, તેથી તે હકીકત ગ્રંથના અંતમાં આવવી જોઈએ, તેને બદલે મુદ્દાની હકીકતને બહુ લંબાવીને કહેવાથી કેટલીક વાર વાંચનારને કંટાળો આવે છે, એમ તેઓના ખ્યાલમાં હશે તેથી તેઓ પ્રથમ અધિકારમાં સમતાનું વિવેચન કરે છે અને છેલ્લા અધિકારમાં પણ પાછું તેનું જ વિવેચન કરે છે. વચ્ચેના સર્વ અધિકારે સમતાના પેટા ભાગમાં આવે છે. કેટલાક સમતાને પરમ સાધ્ય માનવાનાં કારણે પૂરાં પાડે છે, કેટલાંક તેનાં સાધનો પૂરાં પાડે છે અને કેટલાક તેના માર્ગ દેખાડે છે. આ ગ્રંથના સેળ અધિકારમાં વિષયે ક્યા કયા અને કેવી રીતે બતાવ્યા છે તેમાં પ્રવેશ કરવા પૂરત બહુ ટૂંકાણુમાં અત્ર ખુલાસો પ્રાસ્તાવિક છે; વિશેષ હકીકત અનુક્રમણિકા તથા દરેક અધિકારને છેડે લખેલા “અંતિમ વિવેચન પરથી જણાશે. ૧, સમતા-પ્રથમ અધિકારમાં સમતાનું સ્વરૂપ વિચારવામાં આવ્યું છે. સમતા પ્રાપ્ત કરવાનાં સાધને બતાવવાનો ખાસ ઉદ્દેશ આ અધિકારમાં છે. આ વિષયને બહુ સારી રીતે વિકસ્વર કરવામાં આવ્યું નિયાના સર્વ વ્યવહારમાં સમતા રાખવાની બહુ જ જરૂર છે. સમતા ને રાખનાર પ્રાણીની પ્રકૃતિ બહુ અવ્યવસ્થિત બની જાય છે. એ ગમે તેવાં ધર્મસાધન કે પુણ્યનાં કાર્યો કરે, પણ તે સાવ સાધ્ય વગરનાં, વિવેક વગરનાં અને અર્થ વગરનાં થાય છે. જ્યાં સુધી ઐહિક તેમ જ આમુમક કાર્યમાં સમતાને પ્રવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy