SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૫ ૧૪. તેતી. આ અધ્યયનમાં તેતલિપુર નગરના કનકરથ નામના રાજાના મંત્રી તેતલિપુત્રની કથા છે. આ તેતલિપુત્ર પોદિલા નામની કલાદની પુત્રીને પરણ્યો હતો. તેના ઉપર તેને અતિ પ્રેમ હતો. કનકરથ રાજાની રાણીનું નામ પદ્માવતી હતું. કનકરથ રાજા રાજ્ય આદિમાં અત્યંત આસક્ત હતો. પોતાના જીવતાં કોઈ રાજ્યનો સ્વામી થવા આવે નહિ એ આશયથી જે જે પુત્ર જન્મે તેમના ના–કાન આદિ અવયવોને કાપી નાખતો હતો અને એ રીતે મારી નાખતો હતો. પદ્માવતીને વિચાર આવ્યો કે આ રીતે બધા પુત્રો ભરી જશે તો પછી મારો આધાર કયો રહેશે એટલે તેણે તરત જન્મેલા એક પુત્રને ગુપ્ત રીતે મંત્રીને સોંપી દીધો અને મંત્રીની ભરેલી જ જન્મેલી પુત્રીને તેના સ્થાને ગોઠવી દીધી. અને પછી રાજાને જણાવવામાં આવ્યું કે રાણુને મરણ પામેલી પુત્રી જન્મી છે. આ બાજુ સાચો રાજપુત્ર તેતલિપુત્રને ત્યાં મોટો થયો. તેતલિપુત્રને પોદિલા ઉપર અત્યંત પ્રેમ હતો, પણ એકવાર બધો પ્રેમ ચાલ્યો ગયો. એટલે સંસારથી વિરક્ત થઈને પોદિલાએ દીક્ષા લેવા માટે તેતલિપુત્ર પાસે રજા માગી. તેતલિપુત્રે કહ્યું કે “દીક્ષા લીધા પછી કાળ કરીને દેવલોકમાં જાય ત્યાંથી તું મને પ્રતિબોધ પમાડવા આવે તો તને રજા આપું.” પોથ્રિલાએ આ વાતનો સ્વીકાર કર્યો અને દીક્ષા લીધી. તથા સુંદર સંયમનું પાલન કરીને છેવટે મહિનાનું અણસણ કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. આ બાજુ કનકરથ રાજાના મૃત્યુ પછી, રાજા કોને બનાવવો આ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે મંત્રી તેતલિપુત્રે કહ્યું કે કનકધ્વજ સાચો રાજપુત્ર છે, મારે ત્યાં મોટો થયો છે, તેના ઉપર રાજ્યાભિષેક કરો. હવે કનકધ્વજ રાજા થયો. પોથ્રિલા દેવે મંત્રી તેતલિપુત્રને સંસારની અસારતા સમજાવવા પ્રયત્ન કર્યો. પણ મંત્રીને કશો પ્રતિબોધ લાગ્યો નહિ. એટલે પોદિલાએ રાજાના મનને ફેરવી વાળીને રાજાને મંત્રીથી વિમુખ કરી દીધો. રાજા, રાજ્યના કર્મચારીઓ, નગરના અગ્રેસરો, તથા ઘરના માણસો પણ મંત્રીથી વિમુખ થઈ ગયા. એટલે મંત્રીએ વિષભક્ષણ આદિ કરીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પણ દૈવી પ્રભાવથી તે બધામાં મંત્રીને નિષ્ફળતા મળી. એટલે દેવે પોલિાનું રૂપ લઈને સર્વ બાજુઓથી અત્યંત ભય બતાવ્યો અને પૂછ્યું કે ક્યાં જવું? ત્યારે તેતલિપુત્રે કહ્યું કે “ભય પામેલાને દીક્ષા એ જ શરણ છે.” દેવે આ જ વાતનું સંપૂર્ણ સમર્થન કર્યું. પછી તેતલિપુત્રને જાતિવમરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે પૂર્વ જન્મમાં હું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીગિણી નગરીમાં મહાપા નામે રાજા હતો. સ્થવિરો પાસે દીક્ષા લઈ ચૌદ પૂર્વનું અધ્યયન કરી છેવટે એક માસનું અણસણ કરી મહાશુક્ર દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. ત્યાંથી આવીને અહીં તેતલિપુત્ર રૂપે જન્મ્યો છું. પછી પોતે જ મહાવ્રતોનો સ્વીકાર કરીને દીક્ષા લીધી. પછી શુભ ભાવના ભાવતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. રાજાને આ વાતની ખબર પડી એટલે રાજા પણ ત્યાં અત્યંત બહુમાનથી આવ્યો. ધર્મ સાંભળીને શ્રાવયોગ્ય ધર્મ સ્વીકારીને રાજા શ્રમણોપાસક બન્યો. છેવટે તેતલિપુત્ર મોક્ષમાં ગયા. આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજે ટીકામાં આનો ઉપનય કરતાં જણાવ્યું છે કે જ્યાં સુધી જીવોને સંસારમાં માનહાનિ કે દુખનો અનુભવ થતો નથી ત્યાં સુધી પ્રાયઃ છવો ધર્મ તરફ વલણ ધરાવતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy