SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦] વીરભદ્ર વૃત્તાંત [ પર્વ દ હું કોના દોષથી?” તેણીએ કહ્યું-“તમારા દેષથી. વીરભદ્ર પૂછયું-“મારે શે દેવ છે?” પ્રિયદના બોલી–પ્રિય! આવે સમયે પણ તમે આવા ચાતુર્યવચન બેલે છે.” તે વીરભદ્ર બે -“હવે ફરીવાર એવું કહીશ નહીં.” એમ કહી તેની સાથે વિષયકીડા કરી. પછી જ્યારે તે ખરેખરી સુઈ ગઈ ત્યારે તેને છેડી તેને પતિ વિદેશમાં ચાલ્યો ગયો.” અહીં સુધી કહીને પછી વામને કહ્યું–“હવે મારે રાજદ્વારમાં રાજસેવાનો સમય થઈ ગયો.” એમ કહીને તે ઉભો થશે. વામનને ઉભે થતે જોઈ પ્રિયદર્શના આદરથી બેલી-“ભદ્ર! પછી તે વીરભદ્ર ક્યાં ગયે? તે કહે.” વામન બે -“હું સદા કુળકલંકથી ભય પામું છું, તેથી પરસ્ત્રીની સાથે બેલીશ નહીં.” પ્રિયદર્શના બેલી–“તમારા કુળને ચગ્ય એવું શીલ શું છે? કુલીને તે પ્રથમ ગુણ દાક્ષિયતા છે તે દાક્ષિણ્યતાથી કહે.” “તે હું આવતી કાલે કહીશ” આ પ્રમાણે કહી વામન ચાલ્યા ગયે. રાજપુરૂએ તે વૃત્તાંત રાજાને કહ્યું, તે સાંભળી રાજા પણ વિસ્મય પાપે. બીજે દિવસે તેવી રીતે જ વીરભદ્ર ગણિનીના ઉપાશ્રયમાં આવ્યું અને તેની તેમજ બાકી રહેલી પ્રિયાની કથા આ પ્રમાણે કહેવા લાગ્યો. પછી વીરભદ્ર મંત્રગુટિકાવડે કૃષ્ણવર્ણ થઈ તે નગરીમાંથી નીકળે અને વિવિધ દેશમાં ફરી સિંહલદ્વીપે આવ્યો. ત્યાં રત્નપુર નગરમાં શંખશેઠની દુકાને બેઠે. શંખશેઠ તેના વૃત્તાંતથી માહિતગાર થઈ તેને પોતાને ઘેર લઈ ગયા. શેઠે તેને પુત્ર કરીને રાખે. કળાવડે સર્વને વિમય પમાડતો વીરભદ્ર તે નગરમાં સુખે રહ્યો. એક વખત શેઠની પુત્રી વિનયવતીની સાથે સ્ત્રીને વેષ લઈને તે રાજ પુત્રી અનંગસુંદરીની પાસે ગયે. પિતાની કળાથી તેના ચિત્તનું હરણ કરી, આત્મસ્વરૂપ જણાવી છેવટે તેની સાથે ચિરકાળ ભેગ ભેગવ્યા. કેટલાક દિવસ ત્યાં રહી પછી તેને સાથે લઈને તામ્રલિમી નગરી તરફ જળમાર્ગે ચાલતા દૈવયોગે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું.” આટલી વાર્તા કહી વામન વીરભદ્ર કહ્યું-“હવે રાજસેવાનો અવસર થયે છે, માટે હું જઈશ, સેવકોની સેવા કર્યા વગર રહેવાથી આજીવિકા ભાંગી જાય છે. તે વખતે અનંગસુંદરીએ આગ્રહથી કહ્યું-“ભદ્ર! તે વીરભદ્ર કયાં છે તે હાલ ને હાલ કહે.” “આવતી કાલે તે વૃત્તાંત કહીશ.” એમ કહી તે રાજમંદિરમાં ગયો. રાજાના પુરૂએ આ સર્વ વૃત્તાંત પણ રાજાની પાસે નિવેદન કર્યો. પછી ત્રીજે દિવસે પણ ઉપાશ્રયે આવી વામને તે વાર્તા આગળ ચલાવી. “સમુદ્રમાં વહાણ ડુબી ગયું. તે વખતે દૈવયોગે એક પાટીયું વીરભદ્રના હાથમાં આવ્યું. સાતમે દિવસે રતિવલ્લભ નામના એક વિદ્યારે સમુદ્રમાં તણાતા વીરભદ્રને જે તેથી તેને બહાર કાઢી વૈતાઢયગિરિ પર પોતાના મકાનમાં તેને લઈ ગયે. જ્યારે વીરભદ્ર સમુદ્રમાંથી બહાર આવ્યો ત્યારે શ્યામતા કરનારી ગુટિકા તેણે મુખમાંથી કહાડી નાંખી, એટલે તામ્રલિપી નગરીની જેમ તે ગૌરવણ થઈ રહ્યો. વિદ્યાધર રતિવલ્લભના પૂછવાથી તેણે પિતાને સિંહલદ્વીપમાં નિવાસ અને બુદ્ધદાસ એવું નામ જણાવ્યું. તે વિદ્યાધરને અતિ પ્રિય થઈ પડયો, પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy