SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨] . મેઘરથ તથા દઢરથનું સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવું [ પ પ મું સર્વ જાણે છે અને સર્વના હિતકારી છે, તથાપિ હું એક પ્રાર્થના કરું છું. કેમકે “વાર્થમાં કેણ ઉત્સુક ન થાય?” હે નાથ! જ્યાં સુધી હું ઘેર જઈ રાજ્ય ઉપર કુમારને બેસાડી અહીં આવું, ત્યાં સુધી મને દીક્ષા આપવાને માટે તમે અહીં બીરાજશો.” પ્રભુ બેલ્યા પ્રમાદ કરે નહીં.” આવી અહંતની શિક્ષા લઈ મેઘરથ પિતાને ઘેર આવ્યા અને દ્રઢરથને કહ્યું-“હે વત્સ! તું આ પૃથ્વીને ભાર ગ્રહણ કર, કે જેથી હું દીક્ષા લઉં. આ સંસારમાં પરિભ્રમણ કરી વટેમાર્ગની જેમ નિર્વેદ પામી ગયે છું” તે સાંભળી દ્રઢરથે અંજળી જોડી કહ્યું-“પૂજયબંધુ! આ સંસાર દુઃખરૂપજ છે, અને વિવેકી જનેએ તજવા ગ્યજ છે; તે આવા સાગર જેવા દુસ્તર અને અપાર સંસારસમુદ્રમાં મારે સાથે પૃથ્વીને ભાર તમે કેમ મૂકી જાઓ છો? હે ઇશ! આજ સુધી આત્માથી અભેદ દ્રષ્ટિએ મને જોઈ હમણા પૃથફ કેમ કરે છે? મારી ઉપર તે પ્રસન્ન થાઓ અને આત્મવત્ મારે પણ ઉદ્ધાર કરો. હે સ્વામી! આજે તમારી સાથે હું પણ પ્રભુ પાસે દીક્ષ લઈશ; આ પૃથ્વી બીજા કોઈને આપ.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી મેઘરથે પિતાના નાના પુત્ર મેઘસેનને રાજ્ય અને દ્રઢરથના પુત્ર રથસેનને યુવરાજ પદ સંપ્યું. પછી મેઘસેને જેમને નિષ્ક્રમણત્સવ કરે છે એવા રાજા મેઘરથે દ્રઢરથે વિગેરે સાત પુત્રો અને ચાર હજાર રાજાઓની સાથે ભગવંતની પાસે આવી સાવધવિરતિ ગ્રહણ કરી. દુસહ પરિષહ અને ઉપસર્ગોને સહન કરતા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિને ધારણ કરતા, પિતાના શરીરમાં પણ આકાંક્ષા નહીં રાખતા, વિવિધ અભિગ્રહ તથા તપને આચરતા અને એકાદશ અંગને ધારણ કરતા મેઘરથ મુનિ દ્રઢરથની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે અહંદુભક્તિ વિગેરે શુભ વીશ સ્થાનકોના આરાધનથી તેમણે અતિ દુષ્કર એવું અહંન્નામગાત્ર ઉપાર્જન કર્યું. તે મહાત્મા મેઘરથ મુનિએ સિંહનિકીડિત નામે દુતપ તપ કરી એક લાખ પૂર્વ સુધી અંખડિત સાધુપણું પાળી અંબરતિલક નામના પર્વત પર ચઢી પર્વતની જેમ સ્થિર રહી, અનશન ધારણ કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મેઘરથ મુનિ સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેમના લઘુ ભ્રાતા દ્રઢરથે પણ ત્યાંજ ઉત્પન્ન થયા. ત્યાં તે બંનેએ તેત્રીશ સાગરેપમ પર્યત કાળ અવ્યયપદ પામવાના વિસામારૂપ મહાસુખમાં વ્યતીત કર્યો. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्री शांतिनाथदेवीयदशमैकादश भववर्णनेो નામ તુર્થ સદ છે. ૧. ખેદ. Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy