SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭] અસાર સંસાર સંબંધી વિક્રમયશા રાજાને થયેલ વિચારો [ ૧૮૭ સવં અંગ સંપૂર્ણ મનોહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ યોગ્યતા જોયા વગર સ્મશાનમાં ઇદ્રસ્તંભની જેમ કોઈક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અંતઃપુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિત્ત પણાના દેષને હું ટાળી નાખું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિકમયશાએ તેનું હરણ કર્યું અને પિતાના યશને મલીન કર્યો. પછી તેને અંતઃપુરમાં લઈ જઈને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એકતાને ક્રીડા કરવા લાગ્યા. તે સ્ત્રીના વિયોગથી સાર્થવાહ, જાણે ભૂત વળગ્યું હોય, ધંતુરે ખાધ હેય, અપસ્મારનો વ્યાધિ થયે હોય, મંદિરાનું પાન કર્યું હોય, સર્ષેડ હેય, અથવા સન્નિપાત થયું હોય તેવો થઈ ગયે. એ પ્રમાણે તેનાથી વિયેગ પામેલા સાર્થવાહનો કેટલેક કાળ દુઃખમાં અને તેનો સંગ પામેલા રાજાનો કેટલેક કાળ સુખમાં નિર્ગમન થયું. રાજા વિક્રમ યશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિરંતર રમતા જોઈ તેના અંતઃપુરની બીજી સ્ત્રીઓએ ઈર્ષાથી કામણ કર્યું. તે કામણુ વડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી એ સાર્થવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે જીવિતથી મુક્ત થઈ ગઈ. તેના મૃત્યુથી રાજા પણ જીવનૃતની' જેવો થઈ, નાગદત્તની પેઠે પ્રલા૫ અને વિલાપ કરવા લાગ્યો. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચૂપ રહેલી છે” એમ બોલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી; પરંતુ મંત્રીઓએ વિચારી, રાજાને છેતરીને તે વિષગુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું. હે પ્રિયા! તું હમણાંજ હતી. હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની કીડા કરવી રહેવા દે. વિયેગાગ્નિ મર્મને પીડા કરનાર હોવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કૌતુકથી કીડાસરિતામાં તે એકલી નથી ગઈ? અથવા કીડાગિરિ કે ક્રીડેઘાનમાં તે નથી ગઈ? પણ તું મારા વિના શી રીતે કીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું.” આ પ્રમાણે બોલતે બાબતે રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગે. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહીં. તે જોઈ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું. તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા; સસલાની પેઠે વનના કોઈ પક્ષિઓએ તેનાં લોચન ખેંચી લીધાં હતાં માંસના લેપી ગીધ પક્ષીઓએ તેનાં સ્તનને ચર્વિત કરી દીધાં હતાં, ફાઉડીઓએ તેના આંતરડાને સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષીકાઓના સમૂહે આચ્છાદન કરી દીધું હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાંની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ કન્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચારવા લાગ્યો. અહો ! આ અસાર સંસારમાં કોઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રીદેહમાં ૧ જીવતા છતાં મરણ પામેલા જેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy