SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] ચક્રથી છેદાયેલ અશ્વગ્રીવનું મસ્તક [ પર્વ ૪ થું આવું અશ્વગ્રીવનું ભાષણ સાંભળીને ત્રિપૃષ્ટ હસતો હસતે બોલે-“અરે! અશ્વગ્રીવ ! તું ખરેખર વૃદ્ધ થયો છે, અન્યથા ઉન્મત્તની પેઠે આવાં દુર્વચનો કેમ બેલે? પણ વિચાર કર કે બાળ એવો કેસરીસિંહ મોટા હાથીને દેખીને શું પલાયન કરી જાય છે? ગરૂડનો બાળક શું મેટા સર્ષોથી પાછો હઠે છે ? બાળસૂર્ય પણ શું સંધ્યાકાળરૂપ રાક્ષસથી ક્ષે પામે છે? હું બાળક છું છતાં પણ શું રણભૂમિમાં તારી સાથે નથી આવ્યો? હે મિથ્યાભિમાની ! પૂર્વે નાખેલા શસ્ત્રોનું બળ તો તેં જોયેલું છે તો હવે આ અસ્ત્રને છોડીને તેનું પણ બળ જે, જોયા વિના તું શા માટે ગર્જના કરે છે ?” આ પ્રમાણે ત્રિપૃષ્ણનાં વચન સાંભળી આકાશરૂપી સાગરમાં જાણે દાવાનળ પ્રગટ હોય તેવું એ ભયંકર ચક અગ્રીવ પિતાના માથા પર ફેરવવા લાગ્યો. ઘણીવાર સુધી ફેરવીને જાણે સૂર્યમંડળ વતું હોય તેવી ભ્રાંતિને ક્ષણવાર આપતું એ ચક સવ બળથી તેણે ત્રિપૃષ્ટ ઉપર છોડયું. ત્રિપૃષ્ણ વાસુદેવના પર્વતની શિલા જેવા વિશાળ વૃક્ષ:સ્થળની સાથે અથડાઈને એ ચક જાણે સામી લપડાક લાગી હોય તેમ ધારાથી પતિત થઈને પાછું હઠી ગયું. એ ચકના અગ્રભાગના મજબુત આઘાતથી વાથી તાડન કર્યાની જેમ ત્રિપૃષ્ટ મૂછ ખાઈને નીચે પડ્યો અને આકાશમાં પ્રકાશ કરતું તે ચક તે ઠેકાણેજ સ્થિર રહ્યું. વાસુદેવની સર્વ સેનામાં તે વખતે હાહાકાર ઉત્પન્ન થયો. શત્રુના પ્રહારથી પોતાના અનુજ બંધુને મૂર્શિત થયેલ જોઈ ને તેમના ઉપરની પ્રીતિને લીધે બલભદ્ર પ્રહાર થયા વિના પણ મૂર્શિત થયા. બંનેને મૂછિત જોઈ અશ્વગ્રીવે સિંહની જેમ સિંહનાદ કર્યો. અને તેના સૈનિકોએ વિજયને પ્રગટ કરતો હોય તેવો કિલકિલારવ કરી મૂક્યો. થડીવારે બલભદ્રને સંજ્ઞા આવી ત્યારે ઉન્નત હર્ષનાદ સાંભળીને “અત્યારે કવખતે આવો હર્ષ કોને થયે છે?' એમ પોતાના સૈનિકોને પૂછયું. તેઓએ કહ્યું- હે દેવ ! ત્રિપૃષ્ઠ કુમારને પડેલી વિપત્તિવડે હર્ષ પામેલા અશ્વગ્રીવના સૈનિકોનો આ ઉર્જિત હર્ષ ધ્વનિ છે.” બલરામે કહ્યું –“અહા! શું મારા અનુજ બંધુને વિપત્તિ હોય? તે તે જ્યારે રણમાં શ્રાંત થાય છે ત્યારે ક્ષણવાર રથમાં સુવે છે, તે ઉપરથી પિતાના મનમાં મારા બંધુને વિપત્તિ આવેલી ધારીને હર્ષ પામેલા આ અગ્રીવના સૈનિકોનો હર્ષ હું એકક્ષણમાં હરી લઉં છું. અરે દુષ્ટ અશ્વગ્રીવ ! ઊભો રહે, આજે રથ અને પરિવાર સહિત તને મસલાની જેમ હું ગદાથી ચૂર્ણ કરી નાખું છું.” એમ કહી રથાવત પર્વતના શિખર જેવી ગદા ઉપાડીને જોવામાં અચલ બળભદ્ર દેવે છે, તેવામાં ત્રિપૃષ્ટ કુમાર જાગી ઉઠયા, અને “અરે આર્ય ! અરે આર્ય ! છતાં તમારે આ શો પ્રયાસ ?” એમ કહી જાણે ઉંઘમાંથી ઉઠયા હોય તેમ ત્રિપૃષ્ઠ બેઠા થયા. ત્રિપૃષ્ટને ઉઠેલા જોઈ જાણે ગ્રામાંતરથી આવ્યા હોય તેમ બળળદ્દે બે હાથ પહોળા કરીને તેનું આલિંગન કર્યું. તરતજ પિોતાના સ્વામીની જાગ્રતિને સૂચવનારો અને શત્રુઓના હૃદયમાં શલ્ય જેવો ત્રિપૃષ્ટિના સૈનિકોએ હર્ષનાદ કર્યો. પ્રહારથી કરેલા પિતાના પાપનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy