SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે] સ્વયંપ્રભા તથા ત્રિપૃષ્ણકુમારનું પાણિગ્રહણ આ પ્રમાણે સર્વે મંત્રીઓનો મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા. પછી સંભિજોત નામના નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે “અશ્વગ્રીવ રાજાને અથવા બીજા કોઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપું કે તેને સ્વયંવર કરૂં?” નૈમિત્તિકે કહ્યું–“પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભરતચક્રીએ ભગવાન્ ત્રષભધ્વજને પૂછયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસર્પિણી કાળમાં મારી જેવા બીજા ત્રેવીસ તીર્થકરો, તારી જેવા અગ્યાર ચક્રવતીઓ, નવ બળદેવ, અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને તેના પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થશે; તેથી હે રાજન ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ હશે, તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરતક્ષેત્રની ભૂમિને ભગવશે અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તેમને આપશે, તેથી આ કન્યા એ ત્રિપૃષ્ટને આપો, કારણ કે તેના જે બીજે કેઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતું નથી.” આ પ્રમાણેનાં વચન સાંભળી રાજા બહુ હર્ષ પાસે, અને યથાયોગ્ય સત્કાર કરી નિમિતિયાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેણે મારિચિ નામે એક દૂતને મોકલ્યો. એ વિદ્યાધરદ્દતે પ્રજાપતિ રાજા પાસે જઈનમસ્કાર કરી પિતાની ઓળખાણું પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું–“ઉત્તર શ્રેણિના વિદ્યાધરોને વલનજટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાને યોગ્ય એવા વરને અર્થે રાજા જ્વલન જટી અરોચક કવિની પેઠે ચિરકાલ ચિંતા કર્યા કરતા હતા. એ સંબંધી તેણે પિતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પણ તે કન્યાને ગ્ય વર તેના જેવામાં આવ્યું નહીં. પછી રાજાએ સંભિન્નશ્રોત નામે નિમિત્તિયાને પૂછયું, ત્યારે તેણે જણાવ્યું કે “આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપૃષ્ટને યોગ્ય છે. એ ત્રિપૃષ્ણકુમાર પ્રથમ વાસુદેવ થઈ અધ ભરતને ભોગવશે, અને પ્રસન્ન થઈને વૈતાવ્યા ઉપરની બે શ્રેણિનું અધિપતિપણું તમને આપશે. આવી નિમિત્તિયાની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજાએ મને અહીં મોકલે છે, માટે સ્વામિન! ત્રિપૃષ્ણકુમારને માટે તે કન્યાને સ્વીકાર કર્યાની સંમતિ આપ.” પ્રજાપતિરાજાએ “બહુ સારૂં” એમ કહી તે વાર્તા સ્વીકારી અને અતિ બુદ્ધિમાન તે રાજાએ યથાયોગ્ય પિશાક આપીને તે દૂતને વિસર્જન કર્યો. પછી જવલન જટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરતજ તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યા. પિતાની સાથે વિદ્યાધરે, સામંત અને બીજા સામાન્ય બલવાહને લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવી પડાવ નાખે. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પ્રધાનના પરિવાર સાથે તેની સામે આવ્યું. કારણકે અભ્યાગત પુરૂષ સર્વને ગુરૂ છે. બન્નેના પ્રીતિયેગે સામસામા સૈન્ય એકઠા થયા, તે જાણે ગંગા અને યમુનાના બે પ્રવાહે એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. બને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy