SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંપ્રભાના પાણિગ્રહણ માટે તેના પિતાને થયેલ ચિંતા [ પર્વ ૪ થું હોય તેવી જ્વલન જટી વિદ્યાધરરાજાની પુત્રી સ્વયંપ્રભા દ્ધિ સહિત તે બંને મુનિને વાંદવા આવી. વાંદીને બેડા પછી તે મહાત્માની કર્ણામૃત તુલ્ય દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સમકિત પ્રાપ્ત થયું. તે મુનિરાજની પાસેથી તેણે શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભળે. ઉત્તમ પુરૂષ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. ત્યાર પછી તે બંને મુનિઓએ ત્યાંથી બીજે વિહાર કર્યો. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ગ્રહણ કર્યું; બીજે દિવસે પારણું કરવાની ઇચ્છાથી ભગવંત જિનેશ્વરની પૂજા કરી, અને પ્રભુની શેષા લઈ ઘેર આવીને તે શેષા પિતાને અર્પણ કરી. હર્ષથી પુષ્ટ થયેલા વિદ્યાધરરાજે તે શેષા મસ્તક પર ધારણ કરી, અને પુત્રીને ઉસંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજ કરજમાં મગ્ન થયેલા પુરૂષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતામગ્ન કર્યો. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી, અને સુબ્રત વિગેરે પિતાના મંત્રીએને બોલાવી રાજાએ તેના પતિ વિષે પૂછયું. પ્રથમ સુદ્યુત મંત્રીએ કહ્યું–રત્નપુર નગરમાં રાજા મયુરગ્રીવ અને દેવી નીલાંજના પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરોનો ઇંદ્ર છે. તે અનેક વિધાને સાધનાર અને ત્રણ ખંડ ભરતક્ષેત્રને અધિપતિ આ પુત્રીને યોગ્ય એ શ્રેષ્ટ વર છે” પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું-“હે દેવ! એ રાજાનું યૌવનવય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી. પણ ઉત્તર શ્રેણિમાં રૂપ, યૌવન તથા લાવણ્યવાળા અને ભુજપરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરે છે, તો તેમાંથી કોઈ એક રાજાની યોગ્યતાને વિચાર કરીને આ રાજપુત્રી આપે.” તે પછી સુમતિ નામને મંત્રી બે -“હે પ્રભુ! તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત પર ઉત્તર શ્રેણિરૂપ હારમાં ચકદારૂપ અને અનેક અદ્દભુતતાના સ્થાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઇંદ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાળના મેઘની જેવો સફળ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમાળાની જેવી શીલરૂપ સુગંધવડે શોભતી મેઘમાલિની નામે પટ્ટરાણી છે. તે દંપતીને સર્વ રાજાઓને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિદુભ નામે એક પુત્ર છે, અને નિઃસીમ રૂ૫ લાવણ્યની સંપત્તિ વડે દેવકન્યા જેવી જાતિમલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વિજળીની જેમ એ વિદ્યપ્રભ રાજકુમારને છેઅને જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અકકીતિ કુમારને યોગ્ય છે, તો પરસ્પર કન્યાને વિનિયોગ કરવાથી બન્નેને મહોત્સવ થાય તેમ છે.” પછી શ્રતસાગર નામે મંત્રી બોલ્યો હે મહારાજ ! આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કે ન ઈરછે? તેથી એની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિવિશેષપણું બતાવનાર સ્વયંવર કરવો યુક્ત છે. કારણકે જો તેમ નહીં કરે અને કોઈ એકનેજ કન્યા આપશે તે તમારે બીજા વિવારની સાથે ફોગટને વિરોધ થઈ પડશે, માટે તેમ શા માટે કરવું જોઈએ? ૧ સ્નાત્રજલાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy