SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર બીજા, ત્રીજા અને ચોથા કુલકર. સગ ૨ જે. ઉત્પન્ન થયેલ હતા અને વૃક્ષની પિઠ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. છ માસ સુધી પિતાનાં બે બાળકને પાળી, જરા અને રોગ વિના મૃત્યુ પામી, વિમલવાહન સુવર્ણ કુમાર દેવકમાં અને તેની સ્ત્રી ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થઈ કેમકે ચંદ્રને અસ્ત થતાં ચંદ્રિકા રહેતી જ નથી. તે હસ્તી પણ પિતાનું આયુષ પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો કેમકે કાળનું મહાભ્ય જ એવું છે. ત્યારપછી ચક્ષુમાન પણ પિતાના પિતા વિમલવાહનની પેઠે હાકાર નીતિથી જ જુગલીઆઓની મર્યાદા ચલાવવા લાગ્યા. અંતસમય નજીક આવ્યા એટલે ચક્ષુષ્માન અને ચંદ્રકાંતાથી યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધમી જોડલું ઉત્પન્ન થયું. તેઓ તેવા જ સંઘયણ અને સંસ્થાનવાળા તથા કાંઈક ન્યૂન આયુષ્યવાળા થયા. વય અને બુદ્ધિની પેઠે તે બંને અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સાડાસાતશે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળા અને નિરંતર સાથે ફરનારા તેઓ તેરણના સ્તંભના વિલાસને ધારણ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી ચક્ષુમાન સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયાં. યશસ્વી પોતાના પિતાની પેઠે, ગેપાળ જેમ ગાયનું પાલન કરે તેમ સર્વ યુગલીઆઓનું લીલાથી પાલન કરવા લાગ્યું, પરંતુ તેના વખતમાં મદમાં આવેલા હાથીઓ જેમ અંકુશનું ઉલ્લંઘન કરે તેમ યુગલીઆઓ અનુક્રમે હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે યશસ્વીરો માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી. કેમકે એક ઔષધિથી રેગ સાધ્ય ન થાય ત્યારે બીજું ઔષધ આપવું જોઈએ. તે મહામતિ યશસ્વી અલ્પ અપરાધવાળાને શિક્ષા કરવામાં હાકારનીતિ, મધ્યમ અપરાધ હોય તે બીજી માકારનીતિ અને જે માટે અપરાધ હોય તે તે બંને નીતિ વાપરવા લાગ્યો. તે યશસ્વી અને સુરૂપાનું કાંઈક અપૂર્ણ આયુષ્ય હતું તેવામાં જેમ બુદ્ધિ અને વિનય સાથે ઉત્પન્ન થાય તેમ તેનાથી એક જોડલું ઉત્પન્ન થયું. માતાપિતાએ, પુત્ર, ચંદ્ર જે ઉજજવળ હતું તેથી અભિચંદ્ર નામ પાડયું અને પુત્રી પ્રિયંગુલતાની પ્રતિરૂપ (સદશ) હતી તેથી તેનું પ્રતિરૂપા નામ પાડયું. તેઓ પિતાનાં માતાપિતાથી કાંઈક અલ્પ આયુષ્યવાળા અને સાડાશેં ધનુષ ઊંચા શરીરવાળા હતા. એક ઠેકાણે મળેલા શમી અને પીપળાના વૃક્ષની જેમ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ગંગા અને યમુનાના પવિત્ર પ્રવાહના મિથ થયેલા જળની જેમ તેઓ બંને નિરં: તર શોભવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં યશસ્વી ઉદધિકુમારમાં* ઉત્પન્ન થયે અને સુરૂપ તેની સાથે જ કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. અભિચંદ્ર પણું પિતાની પેઠે તે જ સ્થિતિવડે અને તે બંને નીતિવડે સર્વ સંગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી ઘણું પ્રાણીઓએ ઈચ્છેલા ચંદ્રમાને જેમ રાત્રિ જન્મ આપે તેમ પ્રાંત અવસ્થાએ પ્રતિરૂપાએ એક જેડલાને જન્મ આપે. માતાપિતાએ પુત્રનું પ્રસેનજિત્ નામ પાડયું અને પુત્રી સર્વનાં ચક્ષુને મનહર લાગતી તેથી તેનું ચક્ષકકાંતા એવું નામ પાડયું. તેઓ બંને પોતાના માતાપિતાથી જૂન આયુષ્યવાળા, તમાલના વૃક્ષ જેવી શ્યામ કાંતિવાળા, બુદ્ધિ અને ઉત્સાહની પેઠે સાથે વૃદ્ધિ પામનારા, છશે ધનુષ ૧ ભુવનપતિની દશ નિકાય પૈકી ત્રીજી નિકાય. ૨ બીજી નિકાય. ૩ તે કાળમાં પશુઓ પણ યુગવિક થાય છે અને મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. ૪ ભુવન પતિની દશ નિકાયમાંથી એક નિશ્ચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy