SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મુનેના રેગ-નિવારણને પ્રયાસ સગ ૧ લે. ગૌમૂત્રિકાના વિધાનથી ઘેર ઘેર ફરતા તે સાધુને છઠ્ઠને પારણે તેઓએ પોતાના આંગણામાં આવતા જોયા. તે વખતે જગતમાં અદ્વિતીય વિદ્ય જેવા જીવાનંદને મહીધરકુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું–‘તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છે, પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જેતી નથી, તેમ નિરંતર સ્તુતિ કરનાર–પ્રાર્થના કરનાર-પીડિત જનની સામે તમે પણ જેતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અથલબ્ધ થવું ન જોઈએ; કઈ વખતે ધર્મને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે તેને ધિક્કાર છે કે આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરે છે એવું સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું–‘તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું; જગતમાં પ્રાયે બ્રાહમણ દ્વેષ રહિત જોવામાં આવતા નથી, વણિક અવંચક હોતા નથી, દેહધારી નિરોગી હેતા નથી, મિત્રો ઈર્ષ્યા રહિત લેતા નથી, વિદ્વાન ધનાઢ્ય હોતા નથી, ગુણ ગર્વ વિનાના હોતા નથી, સ્ત્રી ચાપલ્ય રહિત હોતી નથી અને રાજપુત્ર સારા ચારિત્રવાળા હોતા નથી. એ મહામનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અંતરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગોશીષચંદન અને રત્નકંબળ નથી તે તમે લાવી આપે. “તે બંને વસ્તુ અમે લાવશું.” એમ કહી તે પાંચે જણું ચૌટામાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રોએ ચૌટામાં કઈ વૃદ્ધ વણિક પાસે જઈને કહ્યું-“અમને ગોશીષચંદન અને રત્નકંબળ મૂલ્ય લઈને આપ.” તે વણિકે કહ્યું-“એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સેનૈયા છે તે આપીને લઈ જાઓ; પરંતુ તે પહેલાં તેનું તમારે શું પ્રયોજન છે તે કહે.” તેઓએ ક-“જે મૂલ્ય હોય તે લ્યો અને બંને વસ્તુ અમને આપો. તે વડે એક મહાત્માના રંગની ચિકિત્સા કરવાનું પ્રયોજન છે.” એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠના ઉત્તાન લોચન થઈ ગયા, જેમાં તેના હૃદયને આનંદ સૂચવ્યું અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-“અહો ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મદવાળું આ સર્વેનું યૌવન કયાં ? અને વયેવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેઓની મતિ કયાં ? મારા જેવા જરાવસ્થાથી જર્જર કાયાવાળા માણસે એ કરવા લાયક શુભ કામ આ સેવે કરે છે અને દમન કરવા યોગ્ય ભારનું તેઓ વહન કરે છે.” એમ વિચારી વૃદ્ધ વણિકે કહ્યું- હે ભદ્રે ! આ ગોશીર્ષ ચંદન અને રત્નકંબળ લઈ જાઓ. તમારું કલ્યાણ થાઓ ! મલ્યની કાંઈ જરૂર નથી. એ વસ્તુનું ધર્મરૂપી અક્ષય મૂલ્ય હું ગ્રહણ કરીશ. તમેએ સહેદરની પેઠે મને ધર્મકાર્યમાં ભાગીદાર કર્યો છે. એમ કહી તે શ્રેષ્ઠીએ બંને વસ્તુ આપી. પછી ભાવિત આત્માવાળો તે દીક્ષા લઈ પરમપદને પામે. એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી મહાત્મામાં અગ્રણી એવા તે મિત્રો દની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષને પાદ હોય તેમ નિશ્ચળ થઈ કાસગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ બોલ્યા- “હે ભગવન ! આજે ચિકિત્સાકાર્યથી અમે આપના ધર્મકાર્યમાં વિન્ન કરશું; આપ આજ્ઞા આપે ૧ સાધુ વહોરવા જાય ત્યારે ગોમુત્રને આકારે ગૃહપ્રવેશ કરવાનું કહેલ છે, એટલે શ્રેણિબંધ ન ચાલનાં બંને બાજુ એક પછી એક ઘરે અનુક્રમે જવાથી કોઈ ઘરવાળા પ્રથમથી અસુઝતી તેયારી કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy